SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર કોઈ જીવ બહુ જ રીબાતો હોય, ઘણી પીડા અનુભવતો હોય અને થોડા વખતમાં મૃત્યુ પામવાનો જ હોય તો તે બિચારાને દુ:ખમાંથી છોડાવવા માટે તેના જીવનનો અંત આણવો જોઈએ. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે આવા રીબાતા જીવોને મારી નાખીને દુઃખમાંથી છોડાવવામાં દયા કદાચ દેખાતી હોય તો પણ તત્ત્વતઃ તે નિર્દયતા જ છે. કેટલાક અશક્ત કે અપંગ થઈ ગયેલા ઘોડાને મારી નાખતા હોય છે, કારણ કે તે હવે માણસને કામ લાગવાનો નથી, તેમ જ ઘોડો પોતે સુખેથી જીવન જીવી શકવાનો નથી. એના કરતાં જો ઘોડાને મારી નાખવામાં આવે તો તે દુ:ખથી જલદી છૂટી શકે. આવું બીજાં પ્રાણીઓ માટે પણ વિચારાય છે. આમ, પોતાના હત્યાના વિચારમાં દયાનો ભાવ રહેલો છે એમ તેઓ માને છે. આ પ્રકારની વિચારણા પ્રાણીઓ ઉપરાંત હવે કષ્ટથી પીડાતા, મૃત્યુને આરે આવેલા માણસો માટે પણ થાય છે. એવી રીતે દયાભાવથી બીજા માણસની હત્યા કરવામાં આવી હોય એવી ઘટના વર્તમાન કાળમાં ઉત્તરોત્તર વધુ બનવા લાગી છે. હવે તો બીજાના જીવનનો અંત લાવવા માટે એવાં ઔષધો અને સાધનો શોધાયાં છે કે બીજાનું મૃત્યુ નિપજાવવામાં પણ તેને કંઈ દર્દ કરવામાં આવતું નથી. સંસારમોચક વાદીઓની એક દલીલ એવી છે કે મોક્ષગતિ પામતાં સુધીમાં દરેક જીવના ભવ નિશ્ચિત જ હોય છે. એમાં એક ભવનો પણ વધારો કે ઘટાડો થઈ શકતો નથી. તો પછી દર્દથી રીબાતા જીવના જીવનનો જલદી અંત આણવામાં તો એમને દુ:ખમાંથી છોડાવવાનું શુભ કાર્ય થાય છે. પરંતુ આ વિચારણા પણ ભ્રમ ભરેલી છે. સિદ્ધાંતના કે તત્ત્વના અજાણ માણસો જ આવી દલીલ કરે. દરેક જીવે કરેલાં અશુભ અશાતાવેદનીય કર્મ તો આ જન્મમાં કે અન્ય જન્મમાં અવશ્ય ભોગવવાં જ પડવાનાં. એટલે દુઃખી જીવોનું મૃત્યુ આણવામાં અને એ રીતે તેમને સંસારનાં દુઃખમાંથી છોડાવવામાં તાત્ત્વિક રીતે કોઈ દયા રહેલી હોતી નથી. વસ્તુતઃ મોહગર્ભિત વૈરાગ્યવાળાઓ સિદ્ધાન્તનો ખોટો આશ્રય લઈ આવી ભૂલથાપ ખાતા હોય છે. [૧૪૯] મનીષ પ્રશમોડયુદ્વેષપોષાય તેવતમ્ | अन्तर्निलीनविषम-ज्वरानुद्भवसंनिभः ॥११॥ અનુવાદ : તેઓનો પ્રશમ પણ શરીરમાં અંદર રહેલા વિષમ જ્વરના અનુભવની જેમ દોષના પોષણ અર્થે જ થાય છે. વિશેષાર્થ : આવા મોહગર્ભિત વૈરાગ્યવાળા માણસોના જીવનમાં કેટલીક વાર પ્રશમ કે ઉપશમ વગેરે ભાવો અને ગુણો જોવા મળે, પરંતુ તેમનામાં મિથ્યાત્વ રહેલું હોવાથી તેમનો એ પ્રશમ ગુણ વસ્તુતઃ તેમના દોષોની વૃદ્ધિ કરનારો બને છે. મિથ્યાત્વસહિતના પ્રશમ ગુણમાં અને મિથ્યાત્વરહિતના પ્રશમ ગુણમાં ઘણો ફરક છે. જેમ હાડકામાં પેસી ગયેલા જવરવાળાનું શરીર બહારથી સારું લાગે, પણ એ જવર ક્યારે વધી જશે તે કહી શકાય નહિ. તેવું જ આવા મિથ્યાત્વીઓના ભ્રામક પ્રશમરસ વિશે કહેવાય. - હવે પછીના ચાર શ્લોકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ મોહગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવે છે. ૮૩ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy