SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જીયસૂરિના પ્રકાર ( હીરપ્રશ્ન) કોઈને વાંચવા દેતે નહિં, અને એકાંતવાદ સ્થાપવા માટે શાસ્ત્રોને જોયા કરતે. વળી માર્ગાનુસારીના ભાવને પણ તે વિપરીત કરવા લાગ્યું. વાચકજીએ આ બધી હકીકત ગુરૂ ઉપર (ગચ્છનાયક ઉપર) લખી મેકલી. સૂરતના સંઘ ઉપર પાંચ બેલને પટે. વાચક કલ્યાણવિજયજી તરફથી લખાઈ આવેલી ઉપરની હકીકત વાંચીને આચાર્યશ્રીએ હૃદયમાં વિચાર કર્યો. વિચાર કરીને સૂરતના સંઘ ઉપર, સં. ૧૬પ૭ના માગશર વદિને શનિવારના દિવસે પાંચ બેલને એક પટે લખી મોકલ્યા. આ પટાના પ્રારંભમાં રવિનયમૂરિ નમઃ એ પ્રમાણે મંગલાચરણ કરી “શ્રી સૂરતના સંઘ સમુદાય ગ્ય” લખી આ પ્રમાણે પાંચ આજ્ઞાઓ લખી મેકલી:૧ ચેમાસામાં સાધુને રાખીને સભામાં બારબેલને પટે વંચાવ. ૨ બારબોલની સહણ બરાબર કરવી. હેનાથી વિપરીત પ્રરૂપણ કેઈએ કરવી નહિ. કે પ્રશ્નોત્તર સમુચ્ચય ગ્રંથને વાંચતાં કોઈએ ના ન કહેવી. ૪ એકાંતવાદ સ્થાપવાને કેઈએ છૂટક આલાવા, ગાથા, લેક વિ. ગેરેથી હુંડી કરી હોય, તે કેઈએ વાંચવી નહિં. ૫ માર્ગાનુસારીને વિચાર બાર બોલને અનુસરીને કરો. હેમાં જિનવચનને અનુસરવાવાળા દાન, વિનય, અ૫કષાય, ભવ્યત્વ, દાક્ષિણ્ય, લજજાલતા, દયા, પોપકાર અને અ૫ભાષીપણું વિગેરે ગુણ હોવા જોઈએ. એ પ્રમાણે ચઉસરણ વિગેરે સિદ્ધાન્તમાં પણ કહ્યું છે, તે સાચું છે અને મહે સહું પણ છે. આ પ્રમાણેના પાંચ બોલને પટે સૂરિજીએ મોકલ્યું, તે [ 8 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy