SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું. હેમણે માત્ર એટલેજ જવાબ આપે કે-“જહેમ શોભા વધે તેમ કરે.” રાજનગર અને ખંભાતના સંઘે પણ જણાવ્યું કે–એવું વળી તપગપતિ પદ કેવું હારે કેઈને આચાર્યપદ આપીશું, ત્યારે ધામધૂમ પૂર્વક વિશેષ કરીને આપીશું.' વિજથરાજ નામના ઉપાધ્યાયજીએ પણ કહ્યું કે “સંઘનું વચન ઉલ્લંઘવું ઠીક નથી. વધારે તાણવાથી તૂટી જાય છે. અને તૂટ્યા પછી હાથથી છૂટી જાય છે. જે આપ કદાગ્રહ કરીને પદ સ્થાપના કરશે તે પાછળથી પશ્ચાત્તાપ થશે, અને તેનું ફળ આપને ભોગવવું પડશે.” બધાએ સમજાવવા છતાં તેમણે કોઈનું માન્યું નહિં, અને પદ સ્થાપના કરી દીધી. તેમ છતાં પણ વિનયગુણસંપન્ન વિજયાનંદસૂરિએ તે પિતાને વિનયભાવ નજ છેડ્યો. હેમણે તે લગાર પણ રાગ દ્વેષ કર્યા સિવાય હમેશાં સેવાજ કરી. પરંતુ વિજયદેવસૂરિ તે હેમનું લગારે ભલું ઇચ્છતા નહિં. સૂરત ગમન. તે પછી ખંભાતના સંઘે વિજયદેવસૂરિ પાસે જઈને માસાની વિનતિ કરી. હેમણે વિજયાનંદસૂરિને ખંભાત જવા માટે આજ્ઞા કરી. વિજયાનંદસૂરિ ખંભાત પધાર્યા. બીજી તરફ સૂરતના દેસી સામે, દેસી પ્રમજી, દેસી પૂજાને પુત્ર નાગજી, એ બધા વિજયદેવસૂરિની પાસે ગયા અને વિજયાનંદસૂરિને સૂરત લઈ જવા માટે આજ્ઞા લઈ આવ્યા. વિજયાનંદસૂરિએ સૂરત આવવા માટે ખંભાતથી વિહાર કર્યો. જે બસર થઈ સૂરિજી ભરૂચ આવ્યા. ત્યહાં સૂરતના વખારિઆ સંઘને પત્ર મળે. તેમાં લખવામાં આવ્યું હતું કે- અહિં ત્રણ પક્ષના ઉપાશ્રય છે. માટે આપ એવી રીતે વિચાર કરીને આવશે કે જેથી બધાઓને સંતોષ થાય.” આના ઉત્તરમાં સૂરિજીએ જણાવ્યું–‘મને કઈ પણ જાતને કેઈના ઉપર રાગ-દ્વેષ નથી. વિજયદેવસૂરિના આદેશથી હું ચોમાસા માટે આવું છું. માટે હમે વિચાર કરી લેશે, હમે બનને પક્ષવાળા મળીને જહેમ કહેશે, તેમ કરવાને હુને હરક્ત નથી.” [ ૮૭ ]. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy