SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આપવામાં આવ્યું. આ પ્રમાણે પિતાના ગુરૂનું વચન રાખવાને-ગુરૂની લાજ રાખવાને પોતાના જીવને હેપે, હારે આ પના રાજ્યમાં ગુરૂનાં વચનો લેપાય, એ શું ઉચિત થાય છે કે?” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું, હારે વિજયદેવસૂરિએ કહ્યું–બહારૂં મન સાગરે સાથે લાગ્યું છે, તે કેમે કરી છૂટવાનું નથી.” આગળ ચાલતાં વિજયદેવસૂરિએ તે બે મુનિને કહ્યું–“જે હમારે અહિં રહેવું હોય, તે નેમિસાગરને વાંદી , નહિં તે અહિંથી જલદી રવાના થઈ જાઓ.” આ સાંભળી તે મુનિયે વિદાય થયા. આવ્યા અમદાવાદ. અહિં આવીને હેમણે તમામ હકીક્ત જણાવી. સંઘે હેમના મઢેથી બધી હકીકત સાંભળી લીધા પછી, બધા એ નિશ્ચય ઉપર આવ્યા કે—“હવે બીજા આચાર્ય સ્થાપન કરવા.” નવા આચાર્યની સ્થાપના. સમસ્ત સંઘે મળી વિચાર કર્યો કે –“ વર્તમાનમાં હે આચાર્ય છે, તે ગુરૂવચનના આરાધક નથી. તે પરંપરાને લેપીને સાગરપક્ષીય થયેલ છે. હવે તેનાથી ગચ્છની મર્યાદા રહી શકે તેમ નથી. માટે એક એવા આચાર્ય સ્થાપન કરવા જોઈએ કે–જેઓ ગુરૂવચનને સારી રીતે વિસ્તાર કરે. પહેલાં પણ એવી હકીક્ત બની હતી કે–ચÉવાલીસમી પાટે જગચંદ્રસૂરિ થયા કે જેઓને તપાબિરૂદ પ્રાપ્ત થયું હતું. પીસ્તાલીસમી પાટે દેવેન્દ્રસૂરિ થયા. ત્યહાંથી વૃદ્ધ અને લઘુ એવી બે શાખાઓ થઈ. આ દેવેન્દ્રસૂરિએ વિદ્યાનંદસૂરિને ગ૭પતિ સ્થાપ્યા. અને દેવેન્દ્રસૂરિ માળવા દેશમાં વિચરવા લાગ્યા. આ વખતે આચાર્ય વીજાપુરમાં હતા. દેવગે તે બનેનું તેરદિવસના અંતરે પરલોકગમન થયું. આ વખતે વિદ્યાનંદસૂરિના ભાઈ ધમકીર્તિ ગચ્છની સંભાળ રાખતા. આ પ્રમાણે છ મહીના સૂધી આચાર્ય વિના ગચ્છ ચાલ્યું. તે પછી બધાએ મળીને નિજત્રીય વડી શાખાના આચાર્યને વિનવ્યું, અને ધર્મકીર્તિ ઉપાધ્યાયની તે પદ ઉપર સ્થાપના કરી. [ ર ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy