SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આવે તેા પછી તેએ કહે તે પ્રમાણે હું કરૂં.’ સિદ્ધિચદ્રજી ખાનની સાથે તૈયાર થયા. તેઓ ઝ્હારે સિદ્ધપુરમાં આવ્યા ત્યારેપા ટણથી વિજયદેવસૂરિએ અખજી મ્હેતા વિગેરે શ્રાવકોને દશ વહેલે જોડીને હુામે મોકલ્યા, તેમ ધનવિજય પણ સાથે આવ્યા.તેઓ સિદ્ધિચ જીને મળ્યા અને બધી હુકીકત જણાવી હેમણે કહ્યું કે ૮ હ્યુમે પાટણ પધારો અને આપને વિજયદેવસૂરિ વાચક પદ આપવાને માટે ચાહે છે.’ સિદ્ધિચંદ્રજીએ કહ્યું કે શ્રાવકજી ! સાંભળેા, મ્હારા ગુરૂ ભાનુચંદ્રજી છે, હેમની જેવી આજ્ઞા હાય તેમજ હું કરી શકું. વિજયદેવસૂરિના સ્થાપેલા ઉપાધ્યાય પદને હું શું કરૂ? હું તે મ્હારા ગુરૂનીજ ચાહના કરૂ છું. તે વિજયદેવસૂરિ સ્તુને શું પદ આપવાના હતા ? ’ સિદ્ધિચંદ્રજીએ બહુ કડક જવાબ આપ્યા, છતાં તે પાછા ન ગયા અને સાથે સાથે મેસાણા સુધી આવ્યા. સાથે રહીને તેએ વારંવાર સમજાવતા રહ્યા, પરન્તુ સિદ્ધિચંદ્રજીએ આગળ ચાલીને ઢાં સુધી કહ્યું કે~ આ સિદ્ધિચંદ્રને વારંવાર શું સમજાવા છે ? હમે મને ઓળખતા નથી. હુમારા ગુરૂ શું ને ડરાવે છે ? ' " જમ્હારે સિદ્ધિચંદ્રજીએ ઘણેાજ સખ્ત જવાખ વાળ્યે, ત્હારે તેઓ પાછા વળી પાટણ આવ્યા. અનુક્રમે સિદ્ધિચંદ્રજી અમદાવાદ આવ્યા. šાં વ્હેમણે સામવિજયજીને વદણા કરી અને સામિવેજ યજીએ હેમને ઘણી શામાશી આપી. એક વખત દુશ્મનાએ પ્રેરેલા રાજા સિદ્ધિચદ્રજીને કહેવા લાગ્યા હમારી આ તરૂણાવસ્થામાં હમને સાધુપણું ચેાગ્ય નથી. હંમે ગૃહસ્થ થઈ જાઓ. હ્યુમને હું હાથી ઘેાડા અને દેશ આપું.' રાજાનું આ વચન સાંભળી સિદ્ધિચંદ્રે કહ્યું- વ્હેલાં જે સ્વીકાર કરેલ છે તે છેાડી શકાતું નથી, અમને તે આમાંજ આનંદ છે.’ રાજા ગુસ્સે થયા અને કહેવા લાગ્યે ~ જો હમે નહિ માના તેા હાથી નીચે ચગદાવી નાખીશ.’ આથી પણ સિદ્ધિચંદ્ર એક લગાર માત્ર પશુ ડર્યાં [ ૬૮ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy