SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિ ઉપર લખે. હેમાં એ લખ્યું કે જે આપની આજ્ઞા હાય, તે હું આપની સેવામાં આવીને રહું, આવી વૃદ્ધાવસ્થામાં આપની સેવા કરવાની હુને બહુ ઈચ્છા થયા કરે છે. વિજયદેવસૂરિએ લખી જણાવ્યું કે—હારી પાસે લ્હારૂં કંઈ કામ નથી, આથી સેમવિજ્યજી હેમની પાસે જઈ શક્યા નહિ. નંદિવિજય ઉપાધ્યાય પણ વિજયદેવસૂરિ પાસેથી વિહાર કરી કુણઘેર ગયા. વિજયદેવસૂરિનું દુસાહસ. હવે વિજયદેવસૂરિ સ્વતંત્ર થયા તે પછી સંખેશ્વરમાં ખંભાત અને અમદાવાદના સંઘે એકઠા થયા હતા, હેમની પાસે બે સાધુ મેકલીને કહેવડાવ્યું કે-હેમે પાટણ ચાલો સંઘના આગેવાનોએ કહ્યું, –“અમે પાટણ આવી શકીશું નહિં, અગર વિજયદેવસૂરિ ચાણસમે આવે, તે હાં બધા એકઠા થઈ વિચાર કરીએ.' વિજયદેવસૂરિ ચાણસામે આવવા પાટણથી રવાના થયા, પરંતુ શુકન સારા થયા નહિં. ખેર, તે પણ તેઓ આગળ વધી ચાણસામે આવ્યા. સંઘની સાથે હેમણે વિચાર કર્યો કે–સાગરને લેવા કે કેમ? છેવટે એ ઠરાવવામાં આવ્યું કે–અમદાવાદમાં બધાએ એકઠા થવું. અને હાં મિચ્છામિ દુક્કડ દેવરાવ. આ પ્રમાણે નક્કી કરી બધા વેરાયા. સંઘે પોતપોતાના ગામ ગયા અને વિજયદેવસૂરિ પાટણ આવ્યા. પાટણમાં આવીને હેમણે વળી જુદુજ ટીંખલ કર્યું. હેમણે સાગરેને તેડાવ્યા અને ચૈત્ર અમાવાસ્યાનું મુહૂર્ત કાઢી તે દિવસે સાગરને ખુલ્લીરીતે લઈ લીધા. અને દરેક સ્થળે માણસે મોકલી કહેવડાવી દીધું કે “સાગરે સાથે મેળ કરી દીધું છે. અમદાવાદ અને ખંભાતના શ્રાવકોએ જહાં આ વાત જાણી, કે તુર્ત એકદમ ખળભળાટ મચી ગયે. દરેકના મુખથી એજ શબ્દો નિકળવા લાગ્યા કે-“આ ? કહ્યું શું ? અને [ 5 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy