SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિજયદેવસૂરિને વિધિપૂર્વક વંદણું કરી. પરંતુ વિજયદેવસૂર રિએ પ્રેમપૂર્વક તેઓને બોલાવ્યા નહિં, એટલું જ નહિં પરન્તુ, વિજયસેનસૂરિને શું થયું? કેવી રીતે કાળ કર્યો? અણસણ કેમ કર્યું? વિગેરે કંઈપણ હકીકત પૂછી નહિં. નંદિવિજય વાચક હેમનાથી લગારે ડરતા નહેતા, પરંતુ બીજા સાધુઓ ઘણા ડરતા હતા. વિજયદેવસૂરિ કદાચ સાગરેની વાત સંભળાવતા, તે નંદિવિજ્ય વાચક શ્રાવકોને સમઝાવી દેતા. પરતુ પાછા વિજયદેવસૂરિ નંદિવિજયને તેમ કરતાં વારતા હતા, કેમકે હેમના મનમાં એ ડર રહેતું કે રખેને શ્રાવકનાં મન દેટલાં થઈ જાય. * નંદિવિજ્યવાચકને આ વાત ઘણી ખટકતી. તેઓના મનમાં આવ્યું કે-હીરસૂરિનાં વચનને પ્રકાશતાં જમ્હારે તે વારે છે, તો પછી કામ કેમ ચાલશે ? આ વખતે મેઘવિજય ઉપાધ્યાય, અને ધર્મવિજય ઉપાધ્યાય સાથે હતા. પરંતુ આ બનેનું સાથે રહેવું વિજયદેવસૂરિને રૂચિકર હેતું. તેથી તેઓને વિહાર કરવાને માટે આજ્ઞા આપી. એટલે શ્રીમેઘવિજયને માળવા તરફ વિહાર કરવાનું કહ્યું અને શ્રીધર્મવિજય વાચકને હાલાર તરફ. ડારે તેઓ બન્ને વિજયદેવસૂરિને વાંદીને ચાલવા લાગ્યા, ત્યહારે શ્રીમેઘવિજય વાચકને કહ્યું કે- તમે ઈડર થઈને માળવામાં જ, અને ધર્મવિજય વાચકને કહ્યું કે-ન્હમે સંખેશ્વર થઈને હાલાર જયે. કેમકે અમદાવાદ જતાં હમને ફેર પડશે. એટલા માટે પ્રેમથી હું હમને કહું છું.” અને વાચકોએ કહ્યું કે અમારે ઘૂંભને વંદનકરવું છે, માટે તે તરફ જઈશું.’ વિજયદેવસૂરિએ જાણ્યું કે-તેઓ જે અમદાવાદ જશે, તે સમવિજયની શરમથી હેના પક્ષમાં થઈ જશે. અને આવી રીતે પ્રકટપણે વારવાથી હાં જશે નહિં. ખેર, તે પછી બન્ને વાચકેએ વિહાર કર્યો. બીજી તરફ આ હકીકત મ્હારે સેમવિજય વાચકે જાણી, હારે તેમણે કેટલોક વિચાર કરીને વિજયદેવસૂરિને લખ્યું કે – [ પ પ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy