SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી બેઠડી જ્ઞાનીની..! [ ૩૨૭ ] ગ્રહી જમાલિએ પિતાને પકડ્યો મત મૂક્યું નહિ. એટલું જ નહિ પણ પિતાના મતને પ્રચાર પણ શરૂ કરી દીધું ! તેમના પાંચસે શિષ્યોમાંથી કેટલાક મુનિએ તથા પ્રભુની પુત્રી પ્રિયદર્શના પોતાના એક હજાર સાધ્વીજીઓના પરિવાર સાથે પૂર્વસમ્બન્ધથી જમાલિને પંથમાં ભળ્યા હતા. - એક વખત વિચરતાં વિચરતાં પ્રિયદર્શના પિતાના શિષ્યા પરિવાર સાથે શ્રાવસ્તીનગરીમાં પધાર્યા અને પ્રભુ મહાવીરના ખાસ અનુરાગી ઢંક નામના કુંભારની ભાંડશાલામાં ઉતર્યા. ઢક કુંભાર શ્રાવક હતા અને પ્રિયદર્શના પ્રભુ મહાવીરની પુત્રી હોવા છતાં જમાલિના મતને અનુસરે છે, એ હકીકતથી પરિચિત હોવાથી એને પ્રિયદર્શનાજીને પ્રભુના સત્ય માગ પર સ્થાપિત કરવાની ઉત્કટ ઈચ્છા હતી. તેથી સમય જોઈ નિભાડા પાસેથી પસાર થતાં પ્રિયદર્શનાજીના ઉપરના ઓઢેલા વસ્ત્રના છેડા પર એક નાને શો આગ્નકણ ફેંક્યો તેથી વસ્ત્ર બળવા લાગ્યું. એ જોઈ પ્રિયદર્શનાજી બેલી ઉઠ્યા... “અરે આર્ય! “તમે આ શું કર્યું? મારૂં વસ્ત્ર બાળી નાખ્યું ?” ઢંકે કહ્યું: “વસ બન્યું નથી પણ બળી રહ્યું છે. બળતાને બાળેલું કહેવું છે તે ભગવાન મહાવીરનું કથન છે. તમારા મતમાં તે બળી ગયા પછી બન્યું કહેવાય. તે તમે અસત્ય કેમ બેલ્યા ?” ટંકની આ યુક્તિથી પ્રિયદર્શનજી સત્ય સમજી ગયા અને બેયાઃ “આર્ય! તમે મને સત્ય વસ્તુ સ્થિતિનું ભાન કરાવ્યું ! ત્યાર પછી પિતાની ભૂલને એકરાર કરી પ્રિયદર્શનાજી પોતાના પરિવાર સાથે પ્રભુ મહાવીરના શ્રમણીસંઘમાં ભળી ગયા. જમાલિમુનિની સાથે જે સાધુઓ હતા તે પણ ધીરે ધીરે તેમને છેડી બધા પ્રભુના શ્રમણુસંઘમાં ભળી ગયા. પણ મન ના પ જ હતાશા સત્ય વાથી એને તેથી જ એના છેડા સાર થતાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy