SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પૂ. આગમાદ્વારકશ્રીનાં વિશાળ કાર્યાં અને સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળનાર શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી માણિકચસાગરસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય આગમેદ્ધારક, આગમમદિર સસ્થાપક આચાર્ય દેવ શ્રી આન ઇસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સૌમ્ય અને પ્રશાંતમૂતિ આચાર્ય દેવશ્રી માણિકચસાગરસૂરિજીના જન્મ વિ. સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબૂસર ગામે થયા હતા. તેમનુ જન્મનામ મેાહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારેાનું સિંચન કર્યું. વ્યવસાય અર્થે સુરત આવેલા માહનભાઈ ને પૂજ્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમ થયા, અને દીક્ષા લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. આગમ દ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાગ ના સ્વીકાર કર્યાં. પૂ. ગુરુદેવશ્રીના સાંન્નિધ્યમમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, ન્યાયાદિ શાસ્ત્રના તેમ જ યોગેન્દ્વહન કરવાપૂર્વક આગમાના ઊંડા અભ્યાસી અન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ-વૈયાવચ્ચના ગુણુ અપૂર્વ હતા. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માંસ કર્યું. સં. ૧૯૫૮માં ગુરુદેવની નિશ્રામાં અમદાવાદ–ઝાંપડાની પાળમાં શ્રી ભગવતીસૂત્રના ચાગઢહન કરવાપૂર્વક પૂજ્યશ્રીના વરદ હસ્તે કારતક વદ ૧૦ને દિવસે ગણિપદ, પંન્યાસપદ અને ભાયણી તીર્થાંમાં મહા સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદ અર્પણ કરવામાં આવ્યાં. જ્ઞાનધ્યાનની પ્રવૃત્તિએ સતત ચાલતી જ હતી. સ. ૧૯૯૨માં પૂ. ગુરુભગવ`તે મ` પ્રકારે યાગ્યતા જાણી તેઓશ્રીને નવકાર મંત્રના તૃતીયાપદ–આચાપદ પર આરૂઢ કરી પોતાના પટ્ટધર બનાવ્યા. સ. ૨૦૦૬માં પૂછ્ય ગુરુદેવના સ્વર્ગવાસ થતાં પૂજ્યશ્રી સમુદાયના ગચ્છનાયક બન્યા. સ'. ૨૦૦૭માં તેઓશ્રીએ ૫. શ્રી ચંદ્રસાગરજી મહારાજ તથા પ. શ્રી હેમસાગરજી મહારાજને આચાય પદ તેમ જ પ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને ઉપાધ્યાયપદ સમ`ણુ કર્યા. પૂ. આગમેદ્ધારકશ્રીએ પોતાના જીવન દરમિયાન ૮૦ હમ્બર બ્લેકપ્રમાણુ પ્રસારિત કર્યું, તેને સ'સ્કૃત-પ્રાકૃત હિન્દી-ગુજરાતી ભાષામાં સંકલનાબદ્ધ રીતિએ પ્રતાકારે-પુસ્તકાકારે શતાધિક ગ્રન્થા મુદ્રિત કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પાર પાડયું. આથી તેએશ્રી મેટા ભાગે ચિંતનમગ્ન મુદ્રામાં જોવા મળતા. પૂ. આચાર્ય શ્રી માણિકચસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સેંકડા દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સ્વશિખ્યાની સંખ્યા ૧૪ છે. અનેક સ્થળે તેએશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહાત્સવા, ઉદ્યાપન મહોત્સવો આદિ ઊજવાયા. ઉપધાનતપની આરાધના પણુ અનેક સ્થળોએ થઇ. અનેકવિધ અનુષ્ઠાન ભવ્ય રીતે ઊજવાયા. પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજીના ઉપદેશથી જેના ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયેલ તે શ્રી સમેતશિખર મહાતીર્થ ને ભવ્યાતિભવ્ય અંજનશલાકા—પ્રતિષ્ઠા મહોત્સવ સ. ૨૦૧૭માં પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં ઊજવાયા. સ. ૨૦૨૯માં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy