SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ ની વિધિ સામાયિક એક અગત્યનું આવશ્યક છે અને તેમાં થતા કાયોત્સર્ગની વિધી શું તે જાણવું જરૂરી છે. તે નીચે મુજબ છે. ‘‘સામાયિક” શબ્દ સમર્થેિ ઉપરથી આવ્યો છે. તેનું પદ “સમય” કે “સામાય” છે. સમાય એટલે સમની પ્રાપ્તિ - સમરત્ર સાચ: સમય - રામ એટલે સમભાવ - રાગદ્વેષ રહિતની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સામાયિકનો હેતુ અમુક સમયને માટે સમભાવ અને શાંતિ પ્રાપ્ત કરી તે કાયમને માટે પ્રાપ્ત થાય તેવી કેળવણી. આથી સામયિકની રચનામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ને અગ્રસ્થાન આપવામાં આવેલ છે. આ કાયોત્સર્ગની વિધિ પૂર્ણ રીતે થઈ શકે તે માટે નવકાર મંત્ર બોલી તિષ્ણુતોના પાઠમાં પંચ પરમેષ્ટીને વંદના કરવામાં આવી છે અને ત્યારબાદ ““ઇરિયા વહિયા”ના પાઠમાં, મન, વચન અને કાયાથી નિગોદના જીવોથી માંડી પંચેન્દ્રિય જીવોની કોઇપણ પ્રકારે આશાતના કરી હોય તો તેની ક્ષમા માંગવામાં આવી છે. ત્યારબાદ પાઠ ૪ - જે તસ્સોતરી કરણનો છે. તેમાં કાર્યોત્સર્ગ (કાઉસ્સગ)ની વિધિનો ઉલ્લેખ આવે છે. તેમાં આ “કાયોત્સર્ગ” શું છે તે પ્રથમ સમજાવ્યું છે અને કાયોત્સર્ગ દરમ્યાન કાયાના અમુક વ્યાપારો અનિવાર્ય થઇ પડે તે માટે છૂટ આપવામાં આવી છે. કાયોત્સર્ગ એટલે “કાયા”નો “ઉત્સર્ગ” - કાયાને ભૂલી જવી. દેહભાન ભૂલીને આત્મભાનમાં સ્થિર થવું. કાયાને ભૂલી જવું એટલે શું ? ગૃહસ્થજીવનની તમામ સાંસારિક પ્રવૃત્તિઓ “કાયા” ની જ પ્રવૃત્તિઓ છે. સંસારની તે તમામ ઘટમાળોમાં રાગ દ્વેષ, માયા, મોહ વગેરેના અનેક પ્રસંગો આવતા હોય છે. કાયોત્સર્ગ વખતે તે તમામ પ્રસંગો ભૂલી જઈને આપણું જે શાશ્વત સ્વરૂપ - આત્મસ્વરૂપ છે તેમાં મન સ્થિર કરવું તેવો આદેશ છે. સમ એટલે સમતાના ગુણો પ્રગટાવવા. કામ, ક્રોધ, મોહ, લાભ વગેરે કષાયોથી આત્માને સુબ્ધ થતો અટકાવવાની જરૂર છે અને તે ત્યારે જ અટકે કે જયારે મનની ચંચળતા કાબૂમાં રાખી આત્મામાં જ મનને પરોવાય. પરંતુ પ્રશ્ન એ છે કે આમ કરવાનો સરળ રસ્તો શું હોઈ શકે ? ગીતામાં અર્જુને પણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછયો અને કહ્યું કે ભગવાન ! મનને કાબૂમાં રાખવાનું એટલું જ દુષ્કર છે જેટલું વાયુને કાબૂમાં રાખવાનું છે. ભગવાને તેના બે રસ્તા બતાવ્યા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy