SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સધરાવસ્થા ૭૯૭ પડે તો છોડીને તેમને સંગ્રહ અને ઉપકાર કરે. ઉપકાર તો તેમને વસ્ત્ર વગેરે સામગ્રી પૂરી પાડવાથી થાય છે. ૮. પાંચ પ્રકારના વ્યવહારઃ (1) આગમ એટલે જ્ઞાન વ્યવહારના બે ભેદ છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાનથી જે વ્યવહાર થાય છે તેનો, અને પરોક્ષમાં આગમનો સમાવેશ થાય છે. તેમાં પણ ચતુર્દશપૂવ, દશમૂવી, નવપૂર્વ અને ગંધહસ્તી આ શ્રતધરે જે વ્યવસ્થા આપે તે આગમરૂપ પરોક્ષ વ્યવહાર કહેવાય છે.–વ્યવહાર ભાષ્ય ઉ૦ ૧૦, ગાર૦૧-૨૦૯, પ્રત્યક્ષ જ્ઞાનીની જેમ આ શ્રતધરે પણ આગમિક વિષયમાં પ્રમાણભૂત જ્ઞાન ધરાવે છે, તેથી તેઓને પણ પ્રમાણભૂત માનવા જોઈએ.– ગા૦ ૨૧૧. (૨) આગમથી વ્યતિરિક્ત જે આચારાંગાદિ છે તે શ્રત. નવપૂર્વ વગેરે જે ઉપર કહ્યાં તે પણ શ્રત તે છે જ; પણ તેની વિશેષતા એ છે કે તે અતીન્દ્રિયદર્શી પુરુષથી જ ઠીક સમજી શકાય છે; માટે તે આગમ કહેવાય છે અને બાકી શ્રત કહેવાય છે. એવા શ્રતને ધારણ કરનાર પ્રાયશ્ચિત્ત વગેરેને વ્યવહાર કરે તે મુતવ્યવહાર. (૩) અગીતાર્થને કોઈ ગૂઢપદોમાં આલોચના કહે અને તે ગીતાર્થ પાસે જઈ સંભળાવે એટલે તે પણ તેવાં પદોથી શુદ્ધિદાન કરે–તે આજ્ઞા. (૪) ગીતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ જોઈને અમુક પ્રકારે શુદ્ધિ કરી હોય તેવી જ રીતે પ્રસંગ આવતાં તે યાદ કરીને શુદ્ધિ કરવી તે ધારણા વ્યવહાર. (૫) સૂત્રમાં વિહિત ન છતાં જે વ્યવહાર રૂઢ થઈ ગયું હોય તદનુસારે શુદ્ધિ કરવી કરાવવી તે. ૯. ક૫સ્થિતિના ભેદે – (૧) સામાયિક વિષેના આચારની મર્યાદાને સામાયિક કલ્પસ્થિતિ કહે છે. તે આ પ્રમાણે પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને સામાચિક અલ્પકાલીન હેાય છે. કારણ શેક્ષકાળ પૂરો થયા પછી છેદેપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે. વચલા તીર્થકરન, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy