SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. સુખદુઃખ ચાર સુખશય્યા છે— ૧. ઘરબાર છોડીને નિગ્રન્થ પ્રવચનમાં શંકા કરે નહિ, બીજા ધમની કાંક્ષા કરે નહિ, અને વિચિકિત્સા કરે નહિ; પણ જિનપ્રવચનમાં દઢ શ્રદ્ધા, પ્રતીતિ અને નિર્વિ, ચિકિત્સા ધરાવે અને તેમ કરી મનને. સ્થિર રાખે અને કલેશમુક્ત કરે, તે પ્રથમ સુખશય્યા. ૨. તેવી જ રીતે અણગાર થઈ પિતાને જે કાંઈ મળે તેથી સંતુષ્ટ થાય પણ બીજા પાસેથી વધારેની આશા ન કરે, તે બીજી સુખશય્યા. ૩. અણગાર થઈ દિવ્ય, કે માનુષિક કામગોને આસ્વાદ પણ ન લે અને તેમને ઈછે પણ નહિ, તે ત્રીજી સુખશધ્યા છે.* ૪. અણગાર થઈએમ વિચારે કે આ સુંદર શરીરવાળા અરિહંત ભગવાન જે કમને ક્ષય કરનારાં તપ કમ સ્વીકારે છે, તો હું પણ તેવી રીતે કેમ ન કરું? વળી જે હું આવાં કષ્ટ સહન નહિ કરું, તે મારાં કમેને કેવી રીતે નાશ થશે? તેમનો નાશ કરવાનો તો આ ઉપાય જ છે કે કષ્ટો સહન કરવાં – આ ચેથી સુખશધ્યા છે. [ –સ્થા ૩૨૫] શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણને લાવીને પૂછયું – “હે શ્રમણે! જીવોને શાને ભય છે?” શ્રમણે બોલ્યા – “ભગવન, અમે એ જાણતા નથી. જે આપને તદ્દી ન પડે, તો આપ જ અમને એ વાત સમજાવે.” ભગવાને ઉત્તર દીધો– “હે શ્રમણે! જીવેને દુઃખને ભય છે.” ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy