SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પર૩ ૮. અછવાસ્તિકાય ઉત્સર્પિણીમાં દશ સાગરેપમ કોટાકોટિ કાલ છે. અવસર્પિણુમાં દશ સાગરેપમ કટાર્કટિ કાલ છે. [-સ્થા૦ ૫૬]. ઉત્સર્પિણી અને અવસર્પિણું મંડલમાં ૨૦ સાગરેપમ કાટાર્કટિકાલ છે. [-સમ૦ ૨૦] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા સમા દુઃષમાં અને છઠ્ઠા સમા દુષમદુઃષમાનો કાલ એકવીશ એકવીશ હજાર વર્ષ છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પ્રથમ સમા દુષમદુષમા અને બીજા સમા દુષમાનો કાલ એકવીસ-એકવીસ હજાર વર્ષ છે. સિમ ૨૧] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા સમા એ બનેને મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે; અને ઉત્સર્પિણીના પ્રથમ અને દ્વિતીય સમાન મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે. [-સમ૦ ૪૨] દુઃષમાનાં સાત લક્ષણો છે – ૧. અકાલવર્ષા; ૨. કાલમાં વર્ષો નહિ; ૩. અસાધુ પૂજાય છે; ૪. સાધુ પૂજાતા નથી; ૫. ગુરુ પ્રત્યે લોકો મિથ્યાભાવવાળા હોય છે, ૬. મને દુખતા; ૭. વચનદુઃખતા. સુષમાનાં સાત લક્ષણ છે – ૧. અકાલમાં વર્ષો નહિ; . ૨. કાલમાં વર્ષા; Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy