SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ધર્મ પણ સુશીલ, વ્રતવાન અને પ્રત્યાખ્યાનવાળા જીવનમાં એ ત્રણેય સુધરે છે– [– સ્થા. ૧૬૧] ધમપ્રાપ્તિના ચાર ઉપાય છે – ૧. ક્ષમા, ૨. નિલેભતા; ૩. જુતા;૧ ૪. મૃદુતા. -સ્થા૦ ૩૭૨ ] ધર્મારાધક (સાધકોને નીચેની પાંચ બાબતે ઉપકારી હોઈ, આલબનરૂપ છે. – ૧. જીવોના છ વગે; ૨. ગણ (- સમૂહ. એકાંતમાં રહી શરૂઆતમાં ધર્મારાધના મુશ્કેલ હોવાથી); ૩. રાજા (રક્ષા વડે); ૪. ગૃહસ્થ (અન્નવસ્ત્રાદિની મદદ વડે ); ૫. શરીર. [- Dાર ૪૪૭] ત્રણને બેધિ દુલભ છે – ૧. દુષ્ટને; ૨. મૂઢને; ૩. કુપ્રવચન (કુશાસ્ત્રમાં આગ્રહીને. ત્રણને બધિ સુલભ છે— ૧. અદુષ્ટને; ૨. અમૂઢને; ૩, કુપ્રવચનમાં અનાગ્રહીને. [-સ્થા. ૨૦૩] બધા ને આ છ સ્થાન સુલભ નથી— ૧. વિચાર, વાણી અને વર્તનની એકતા તે આર્જવ. ૨. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તથા હાલતા ચાલતા (ત્રીસ) છે. તેઓ વિવિધ રીતે જીવને ઉપકારક બને છે, એ તો સ્પષ્ટ છે. ૩. સરખા ઉત્તરાધ્યયન અ. ૩, અને અ. ૧૦. એ જ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતા અને તેમાં પણ ધર્માચરણની દુર્લભતાની વાત બુદ્ધ અંગુત્તર૦ ૧-૧૯ માં લગભગ એ જ રીતે સમજાવી છે. તે ઉપરથી બુદ્ધ તથા મહાવીર બંનેની ધર્માચરણ તરફ રુચિ પેદા કરાવવા માટેની ઉપદેશ શેલી કેવી એક જેવી જ હતી, તે જણાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy