SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૩૨૫ વચનગ કહેવાય છે; અને જે કાયાગ વડે મને દ્રવ્યને ચિંતનમાં જોડે છે તે મને યોગ કહેવાય છે. આમ એક કાયને વ્યાપાર વિષયભેદે ત્રણ નામ પામે છે. જીવનની કઈ પણ પ્રવૃત્તિ, પછી તે વાચિક હોય કે માનસિક, એવી નથી જેમાં કાયયોગ ન હોય. જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી અવશ્ય કાયયોગ તે રહેવાને જ. છેવટે સિદ્ધઅવસ્થામાં જ્યારે જીવ અગી હેય છે, ત્યારે જ કાગ શુન્ય થાય છે. એટલે જ્યારે બેલ હેય કે ચિંતન કરતો હોય ત્યારે પણ કાયયોગ તો હોય જ છે. આ પ્રમાણે ત્રણે વેગમાં મુખ્ય તો કાગ જ છે અને બાકીના બે તે તેના જ વિશેષ છે.– વિશેષાવશ્યક ગા. ૩૫૮ થી. અને જો એ ત્રણે વેગને સ્વતંત્ર માનવા હોય તે તેમની વ્યાખ્યા આમ કરવી જોઈએ -જીવને કાયિક વ્યાપાર તે કાચગ. કાચિક વ્યાપારથી ગ્રહણ કરેલા ભાષાદ્રવ્યને સહકાર મેળવીને જીવ તેને છોડવાને જે વ્યાપાર કરે છે તે વચનયોગ. અને કાચિકવ્યાપારથી ગ્રહણ કરેલા મનોદ્રવ્યને સહકાર મેળવી જીવ જે ચિંતનરૂપ વ્યાપાર કરે છે તે મનોગ. આમ બાકીના બેમાં કાગ ગૌણ બની જાય છે.– વિશેષાવશ્યક ગા૦ ૩૬૩-૩૬૪. ૪. પ્રત્યક્ષ અને પક્ષ જ્ઞાન: પાંચ જ્ઞાનને અહીં પ્રત્યક્ષ અને પરોક્ષમાં વહેચી નાખ્યાં છે. પ્રત્યક્ષ તે કહેવાય જે માત્ર આત્મસાપેક્ષ હોય; એટલે કે જેમાં ઈન્દ્રિય અને મનની જરૂર ન પડે. પરોક્ષ તે છે જે ઈદ્રિય અને મનની મદદ વડે પદા થાય છે. કેવળજ્ઞાનના જે ભેદ છે તે સ્વામીકૃત છે. અન્યત્ર નંદીમાં જે ઇન્દ્રિયપ્રત્યક્ષ કહ્યું છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું જોઈએ; પારમાર્થિક નહિ.– વિશેષાગાત્ર ૯૫. ૫. અવધિજ્ઞાનઃ અવધિના બે પ્રકારમાં જે ભવપ્રત્યય છે તેમાં દેવ અને નારકરૂપ ભવ જ કારણ છે. જોકે ત્યાં પણ ક્ષયોપશમ તો છે જપણ તે ક્ષયોપશમનું પણ નિમિત્ત ભવ જ છે. તેથી તે અપેક્ષાએ તે ભવપ્રત્યય કહેવાય છે. અને બીજું અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી થાય છે. તેમાં ક્ષયપશમનું કારણ તપસ્યાદિ છે; તેથી તેને ગુણપ્રત્યય પણ કહેવામાં આવે છે. ૬. સુતજ્ઞાનઃ ગણધર કૃત શ્રત-શાસ્ત્ર તે અંગપ્રવિષ્ટ શ્રત. તે આચારાંગ આદિ બાર છે. અને ગણધર સિવાયના બીજ સ્થવિરેએ રચેલ શાસ્ત્ર તે અંગબાહ્ય. તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy