SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બળદેવ-વાસુદેવનું વર્ણન (પૃ૭૫૪) પણ પાછળથી જ ઉમેરાયું હોય તેમ તેનું વિવરણ જોનારને લાગશે જ. વળી સ્વરમંડલ પ્રકરણ (પૃ. ૮૭૯)ના અંતમાં “આમ આ સ્વરમંડલ પૂરું થયું” એમ કહેવામાં આવ્યું છે તે સૂચવે છે કે એ આખું પ્રકરણ જ આમાં પાછળથી ગઠવી દેવામાં આવ્યું છે. ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે એ આખું પ્રકરણ અનુગારમાં પણ છે. પણ વસ્તુતઃ એ સ્વતંત્ર ના પ્રકરણગ્રન્થ હશે અગર કોઈ બીજા મોટા ગ્રન્થનું એક સ્વતંત્ર પ્રકરણ માત્ર હશે. તેને એમ ને એમ આમાં સંપૂર્ણ ભાવે ગોઠવી દેવામાં આવ્યું હશે. તૃતીયસ્થાનના બીજા ઉદેશને અંતે સૂત્ર ૧૬૬–૧૬૭ છે તેમાં ગૌતમાદિ શ્રમ અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આવે છે. આ પણ સમગ્ર ગ્રન્થની શૈલીની દષ્ટિએ મેળ વિનાનું છે અને નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયું છે. ટીકાકાર એ સૂત્રોની તૃતીય સ્થાનમાં સંગતિ ઘટાવે છે, તે ભૂલે બચાવ જણાય છે. (પૃ૦ ર૯, ૧૬૭) વિમાનનાની વામ : આ ગ્રન્થ મુખ્યત્વે વિભાગપરક છે. એટલે કે પ્રતિપાઘ વિષયેના ભેદની ગણતરી આમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે એ ભેદ અગર વિભાગે તે તે વસ્તુને સંપૂર્ણ રીતે આવરી લે છે; પણ એવાં પણ કેટલાંક સ્થાને છે જ્યાં વિભાગીકરણ ખામી ભરેલું જણાય છે. વસ્તુના ભેદોમાં કાંતિ બધા ભેદની ગણતરી નથી કરી અથવા તે અનાવશ્યક વિસ્તાર, નિશ્ચિત વિભાજક તત્ત્વને આશ્રય લીધા વિના કરવામાં આવ્યો છે. આવાં કેટલાંક સ્થળો માટે જુઓ પૃ ૧૯૮, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૮૪, ૩૯૯, ૫૭૩ આદિનાં ટિપ્પણ. વીના રાજ્યો સાથે સંવંધ : આ ગ્રન્થ કોઈ એક નિશ્ચિત વિષયના નહિ હોવાથી અને સંગ્રહગ્રન્થ જ કહેવો જોઈએ. ભગવાનના ઉપદેશની વસ્તુઓને આમાં લેવામાં આવી છે એ ખરું; પણ પ્રશ્ન એ છે કે તેમના સાક્ષાત ઉપદેશનો ભાગ આમાં કેટલો ? આનો જવાબ પરંપરા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy