SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ २३ આવી છે. જેમકે, ઉત્તરાધ્યયનનું ૩૧મું અધ્યયન ‘ચારિત્રવિધિ’ નામનું છે; તેમાં એકથી માંડીને ૩૩ સુધીની સંખ્યામાં વસ્તુઓનુ પરિગણુન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશવિધિમાં આવી પ્રક્રિયાને પણ સ્થાન હતું તે આ જ ગ્રન્થમાં આવેલ વિમલવાહન નામના ભાવી તીર્થં་કર (પૃ. ૭૨૭) ના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. અને એથી એ પણ સિદ્ધ થાય છે કે, ઉત્તરાધ્યયનમાં આવેલ સખ્યા ૧ થી ૩૩ ની ખાખતા અને વિમલવાહનના ચરિત્રમાં જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશની તે જ ખાતા સમાન છે; એટલે એમ નિઃશંક કહી શકાય કે ભગવાનના ઉપદેશને સખ્યાની દૃષ્ટિએ . સાંકળવાની પ્રવૃત્તિ બહુ જ જૂના કાળથી પ્રચલિત છે. તેનું જ બૃહદ્રૂપ સ્થાનાંગ અને સમવાયાંગમાં જોવા મળે છે. સ્થાનાંતમાં પરિવૃદ્ધિ : આ ગ્રન્થની પદ્ધતિ જાણ્યા પછી એ નણવું બહુ સરલ થઈ પડે છે કે આમાં સમયે સમયે કેવી જાતના ઉમેરા થયા છે. જે ઉમેરા સખ્યાની દૃષ્ટિએ થયા છે છતાં જેને સબંધ ઇતિહાસ સાથે પણુ છે, તેવા ઉમેરાને તેા તારવી શકાય છે અને એમને વિષે એમ કહેવાની શકયતા છે કે અમુક સૂત્ર પાછળથી ઉમેરાયું જ હશે. આમાં નિહ્નવ જેવાં સૂત્રોનો સમાવેશ (પૃ૦ ૨૬૬) થાય છે. પણ જે સંખ્યાબદ્ધ સૂત્રોમાં ઈતિહાસ અથવા સમયની કેાઈ સૂચના નથી, તે પાછળથી ઉમેરાયાં હાય છતાં આપણી સામે તેવાં સૂત્રો જુદાં તારવવાનું સાધન નથી. પશુ આ ગ્રન્થમાં એવાં ઘણાં સૂત્રો છે જે સમગ્ર ગ્રન્થની પદ્ધતિથી જુદાં પડે છે. તેમને વિષે નિશ્ચિતરૂપે કહી શકાય એમ છે કે, એ સૂત્રો આ ગ્રન્થની પદ્ધતિને અનુરૂપ નથી અને ગમે ત્યારે પણુ પાછળથી પ્રવિષ્ટ થઈ ગયાં છે. સ્થાનાંગમાં ભાવી તીર્થંકર વિમલવાહનનું વિસ્તૃત જીવનચરિત્ર આવે છે (પૃ૦ ૭૨૭ ). તે નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયું છે તેમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ ગ્રન્થની પદ્ધતિ એવી છે કે કથા પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy