SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નિજ રે હોય તો તે દ૫ – અર્થાત્ અહંકારથી કરાયેલું ગણાય છે, અને તેને માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે. અકૃત્યાનુસારી પ્રતિસેવનાના મૂલગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી એમ બે ભેદ છે. મૂલગુણપ્રતિસેવના પાંચ પ્રકારની, પાંચ મહાવ્રતસંબંધી; અને ઉત્તરગુણપ્રતિસેવના પિંડવિશુદ્ધિ આદિસંબધી અનેક ભેદે છે. – આ બન્ને પ્રકારની પ્રતિસેવનામાં ૧૦ પ્રકારનાં આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે જેની વિગત આગળ આવશે.] ૨. સંજના પ્રાયશ્ચિત્ત; [સંયોજના એટલે એક જ જાતિના અતિચાર ઉપરાઉપરી કરવા તે; એવી સંયોજનામાં જે પ્રાયશ્ચિત્ત દેવાય તે. જેમકે, ભિક્ષાચર્યાના અનેક અતિચાર એક પછી એક કરવા – પ્રથમ તે શય્યાતરને પિંડ ન લેવો જોઈએ તે લે, વળી તે પણ બીજાને ત્યાંથી સાધુ માટે લાવેલું ન હોય તે જ લેવું જોઈએ છતાં તેવું લે. – આ સજનાને પેશ્ય પ્રાયશ્ચિત્ત તે સંજના પ્રા..] ૩. આપણું પ્રાયશ્ચિત્ત; [આપણા–એટલે ઉમેરવું–એક અપરાધ માટેનું પ્રાયશ્ચિત્તાનુષ્ઠાન ચાલતું હોય તે દરમિયાન ફરી પાછે તેવો જ અપરાધ કરે, તો પ્રાયશ્ચિત્તમાં વધારો કરે તે. જેમકે, પાંચ દિવસના ઉપવાસગ્ય અપરાધ માટે પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત ચાલતું હોય તે જ વખતે ફરી તે દેષ કરે તે દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત થાય. વળી ફરી કરે તો ૧૫નું થાય; એમ ઉત્તરોત્તર વધતું જતું ઉત્કૃષ્ટ છ માસનું પ્રાયશ્ચિત્ત આપણા પ્રા. કહેવાય.] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy