SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૫. સાગાર પ્રત્યાખ્યાન (મર્યાદાઓ કે અજાણતાં ભંગ થાય, રાજાજ્ઞા થાય, રોગી થાઉં – ઇત્યાદિ અગારે – અપવા સાથે લેવાતું); ૬. અનાગાર પ્રત્યાખ્યાન (ઉપરથી ઊલટું અપવાદે સિવાયનુ૧); ૭. પરિમાણકૃત પ્રત્યાખ્યાન (જે પ્રતિજ્ઞામાં દત્ત ભિક્ષા માગવાનાં ઘર, ભિક્ષા માગવાનું દ્રવ્ય ઇત્યાદિનું પરિમાણ નક્કી કરી લેવામાં આવે તે); ૮. નિરવશેષ પ્રત્યાખ્યાન (સવ પ્રકારનાં અશનાદિને ત્યાગ); ૯ સંકેતક પ્રત્યાખ્યાન (કાંઈક નિશાન રાખી કરાયેલું પ્રત્યાખ્યાન); ૧૦. અદ્ધા પ્રત્યાખ્યાન (કાળની અપેક્ષાથી કરાયેલું પ્રત્યાખ્યાન). [– સ્થા. ૭૪૮ ] વ્યાવૃત્તિ –નિવૃત્તિ ત્રણ પ્રકારે છે.– ૧. જ્ઞાનપૂર્વક; ૨. અજ્ઞાનપૂર્વક, ૩. સંશયપૂર્વક. 3 આસક્તિ અને આસેવાના પણ તે જ રીતે ત્રણ ભેદ છે. [–સ્થા. ૨૧૮] ત્યાગ ચાર પ્રકારને છે– ૧. મનથી ત્યાગ અથવા મનને ત્યાગ. ૨, વચનથી ત્યાગ અથવા વચનને ત્યાગ. ૩. કાયથી ત્યાગ અથવા કાયાને ત્યાગ. ૪. ઉપકરણને ત્યાગ. અકિચનતાના પણ તે જ ચાર ભેદ છે. [સ્થા૦ ૩૧૦] ૧. આમાં અજાણતાં તથા સહસાકારની છૂટ હેાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy