SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. કમ કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે પણ તે આત્માના જ્ઞાનગુણને સર્વથા આવૃત કરી શકતું નથી, કારણ, જે તેમ બને તો તે જીવ અને અછવ વચ્ચે જરાપણ ભેદ ન રહે. નિગોદના જીવ જેને ઉત્કટ જ્ઞાનાવરણ મનાય છે, તેમને પણ અત્યંત સૂક્ષ્મ અવ્યક્ત જ્ઞાનમાત્રા છે જ, એટલે કેવલજ્ઞાનાવરણને સર્વઘાતી કહેવામાં આવ્યું છે તે પ્રબલ આવરણની દૃષ્ટિએ. જેમ ઘનઘોર વાદળાંથી સૂર્ય કે ચંદ્ર ઢંકાઈ જાય છે, છતાં દિવસ અને રાત્રીને વિભાગ થઈ શકે એવો તેમને પ્રકાશ તે અનાવૃત રહે જ છે; તે જ પ્રમાણે કેવલજ્ઞાનાવરણથી આત્માને કેવલજ્ઞાનગુણ ગમે તેટલા પ્રબલપણે આવૃત થઈ જાય, છતાં કેવલજ્ઞાનને અનંત ભાગ અનાવૃત જ સૂર્યના ગાઢા વાદળાના આવરણને પણ ભેદીને જે પ્રકાશ આવે છે, તે પણ પાછો આપણા ઘરમાં– જે તેનું છાપરું ઘાસનું બનેલું હોય તે મંદ આવે છે, જે નળિયાં માળેલું હોય તે મંદતર આવે છે અને જે પતરાંથી અગર સીમેન્ટથી માળેલું હોય તો મંદતમ આવે છે – એમ એ અનાવૃત પ્રકાશ પણ તેના બીજા આવને લઈને અનેક ભેદે દેખાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનાવરણથી જેટલો અંશ અનાવૃત રહી જાય છે – તેટલા ભાગને પણ આવરનારાં જુદી જુદી શક્તિ ધરાવનારાં મતિજ્ઞાનાવરણાદિ બીજા ચાર આવરણો છે – જે અંશને આવરણ કરતાં હોવાથી દેશાવરણ કહેવાય છે. આ જ ન્યાયે દશનાવરણના દેશઘાતી અને સર્વધાતી વિષે સમજી લેવું. ૬. આભિનિધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ– મતિજ્ઞાન – આભિનિધિજ્ઞાન બે પ્રકારનું છે – ઉપયોગરૂપ અને લમ્બિરૂપ. મતિજ્ઞાન જધન્ય અને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત રહે છે; કારણ અઃમુહૂર્ત પછી નિશ્ચયરૂપે ઉપગારની પ્રવૃત્તિ થાય છે. લબ્ધિરૂપ મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણના ક્ષપશમરૂપ છે. અને તે જ પ્રસ્તુત સૂત્રમાં આભિનિબેધિકજ્ઞાન પદથી સમજવાનું છે. તેની જઘન્ય સ્થિતિ તો અન્તમુહૂત જ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ૬૬ સાગરોપમથી અધિક છે. અધિકની વિવા કર્યા વગર સામાન્યપણે અહીં ૬૬ સાગરેપમ કહ્યા છે તેમ સમજવું. કેઈ એક સાધુને જીવ મત્યાદિ જ્ઞાનવાળો હોય; તે પૂર્વ ટિમાં કાઈક ઓછું સાધુપણું પાળી વિજયાદિ ચાર અનુત્તરમાંથી કોઈ એકમાં ઉત્પન્ન થઈ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy