SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાાનસમ્રાટ પ્રવચનમાળા ૪૦ મૂર્તિની ખોજ : જ્યાં અત્યારે શેરીસા પાર્શ્વનાથ મૂળનાયક તરીકે બિરાજમાન છે એ શેરીસાના તળાવના કાંઠા પર કપડાં ધોવાતાં હતાં. અને મહારાજ સાહેબ બેઠા બેઠા વિચારતા હતા કે આ કંઈક આકૃતિ જેવું લાગે છે. લોકોને બોલાવ્યા. આજુબાજુની માટી દૂર કરાવી તો ત્યાંથી અત્યારના બિરાજમાન શેરીસા પાર્શ્વનાથ મળ્યા. તે સાથે મોટાં કાઉસ્સગિયાજી પ્રતિમા મળીને કુલ છ-સાત જિનબિંબો મળ્યાં. પ્રાચીન કાળનાં ભરાવેલાં એ પ્રતિમાજી છે. શ્યામવર્ણની આ દેહાકૃતિ જે છે તે જલદીથી બીજાં પ્રતિમાજીમાં જોવા ન મળે. એવાં અલૌકિક આ પ્રતિમાજી છે. મહારાજ સાહેબ તો ત્યાંથી અમદાવાદ પધાર્યા. તે વખતના સારાભાઈ ડાહ્યાભાઈએ પણ બીડું ઝડપ્યું છે. નગરશેઠના રસાલાવાળાના બંગલે મહારાજસાહેબ બિરાજમાન થયા. ત્યાં બધાને વાત કરે છે કે શેરીસા માટે આપણે કામ કરવું છે. મનસુખભાઈ ભગુભાઈ ટીપ માટે ગામમાં પધારવાની વિનંતી કરે છે. પણ મહારાજ સાહેબ ટીપ કરવાની ના પાડે છે. ‘લંગોટીએ કદી તંબુ ન બંધાય’. આ શબ્દો તેમના છે. મનસુખભાઈ મહારાજશ્રીને ખર્ચનો અંદાજ પૂછે છે. મહારાંજ સાહેબ પચીસેક હજારનો અંદાજ આપે છે. મનસુખભાઈ તેટલી રકમ આપવાની વાત સ્વીકારે છે. કામ આગળ વધે છે. આ રીતે એકેએક પ્રવાહ એમને મળતા ગયા છે. ક્યાંય પથરા આવ્યા નથી. અને આવ્યા તો પગથિયાં તરીકે ઉપયોગમાં લીધા છે. જે વિઘ્નો આવ્યાં એનાથી ડયા વિના, ડગ્યા વિના તેનો ઉપયોગ કરીને તેઓ આગળ વધ્યા છે ને એ રીતે દેરાસરનું નિર્માણ થયું. પ્રતિમાજીનો પ્રવેશ ઃ શેરીસા પાર્શ્વનાથના પ્રવેશ સમયે સારાભાઈ ડાહ્યાભાઈ હાજર હતા, પણ પ્રતિષ્ઠા વખતે હાજર ન હતા. પ્રવેશ સમયે અમીઝરણાં પણ એટલાં થયાં છે. કસ્તુરભાઈ મણિભાઈ, પ્રતાપશી મોહોલાલ, કસ્તુરભાઈ લાલભાઈ વગેરે ત્યાં હાજર હતા. વિ.સં. ૧૯૮૯ની મહાસુદ પાંચમની આ વાત. એ વખતે એક અલૌકિક ઘટના બને છે. પ્રભુજીને અંદર પધરાવવાના છે, પ્રવેશ કરાવવાનો છે. પ્રવેશ કરાવતી વેળાની બધી સામગ્રી તૈયાર છે. ઘડી, પળ, વિપળ જઈ રહી છે. એક ક્ષણનો વિલંબ ન ચાલે તેમ મુહૂર્ત આવી ગયું છે અને તે જ વખતે પ્રભુજી ઊંચકાતા નથી. જાણે અંદર પ્રવેશવા માગતા નથી એવું લાગે છે. મહારાજશ્રી તે વખતે ઉદયસૂરિ મહારાજની સામે જુએ છે કે આ થયું શું ? શ્રી ઉદયસૂરિ મહારાજે આ પ્રસંગની સંપૂર્ણ કામગીરી સંભાળી છે. મુહૂર્ત કાઢવું, વિધિવિધાનનું લક્ષ રાખવું વગેરે જવાબદારી શ્રી ઉદયસૂરિ મહારાજના માથે છે. તેઓ મહારાજશ્રીના જમણા હાથ સમાન છે. તે વખતે અચાનક જ ઉદયસૂરિ મહારાજના હૃદયમાં સ્ફુરણા થાય છે. તેમણે વિદ્યાશાળાના વિધિકારક ભોગીલાલ ગુલાબચંદની સામે જોઈને કહ્યું, ‘તોરણ બાંધો.’ પ્રતિમાજીનો પ્રવેશ કરાવવો હોય તો બારસાખ ઉપર તોરણ હોવું જોઈએ. અને જેવું તોરણ બાંધ્યું તે જ ક્ષણે જાજરમાન પ્રભુ ફૂલ સમા હળવા બની ગયા અને ગભારામાં પ્રવેશ થઈ ગયો. મુહૂર્ત બરાબર સચવાઈ ગયું અને પ્રભુજીને પુષ્કળ અમીઝરણાં થયાં. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy