SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન વિદ્યાભ્યાસમાં હરણફાળ (તા. ૯-૧૧-૧૯૯૮) યોગભ્રષ્ટ આત્માની અધૂરી સાધનાનો આરંભ - સ્વયંબુદ્ધત્વ: શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામેલા આત્માઓની પ્રગતિ કેટલી ઝડપી થતી હોય છે તેનો આ કાળની અંદર ઊંચામાં ઊંચો દાખલો એટલે પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. આપણે તેઓશ્રીનું જાજરમાન જીવન જોવાનો એક સામાન્ય પ્રયત્ન કરી રહ્યા છીએ. આવા દિવ્યપુરુષો આ ધરતી ઉપર વારંવાર અવતરતા નથી. ગુજરાતના કવિ શ્રી કરસનદાસ માણેકની એક પંક્તિ છે : ‘હજાર વર્ષે કદી એક વાર, વિશ્વે વિભૂતિ અવતાર ધારે.' આતો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીની નાતના મહાપુરુષ છે. તેમની પંગતમાં બેસે તેવું તેમનું અદભુત વ્યક્તિત્વ અને કાર્ય છે. આ એવો એક ફકીર જેની વાત છે. હેમ ને હીર. તેમણે કોઈનું અનુકરણ કર્યું નથી અને જેનું અનુકરણ કરી શકાતું નથી તેવું આ વ્યક્તિત્વ હતું જેને એક ભાષામાં આ ફરદી છે પણ જોટો નથી એમ કહેવાય. વિદાશ્ચાસમાં હાફળઃ ૨ ૧૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy