SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૨ છોડીને ચઢાણ જેવા શાસનમાં ચાલવું, રગેરગમાં એને વસાવવું - આવું કપરું કામ કરી જનારા આત્માઓને કાળ ક્યારેય કાટ લગાડી શકતો નથી. હંમેશને માટે તેઓ વધુ ને વધુ ઉજ્જવળ બનતા જાય છે. વિરાટ અસ્તિત્વ ઃ ગુણાનુવાદ શાસન-સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું અસ્તિત્વ, આ પૃથ્વી પરથી તેઓને વિદાય થયાને પચાસ વર્ષ વીત્યા છતાં એના કણેકણમાં પથરાયેલું છે. એમણે કરેલાં કે એમના સુધી થયેલાં કાર્યોની આગળ વધી શકે એવું કોઈ કાર્ય છેલ્લાં પચાસ વર્ષોમાં થયું નથી. અહીં બેઠેલામાંથી ઘણા તેના સાક્ષી છે. જે લોકોની ઉંમર હજુ ૬ કે ૭૦ વર્ષની છે તે લોકો સંઘને, શાસનને, ધર્મને પોતાના જીવનકાળનાં ૫૦ વર્ષમાં જોતા આવ્યા છે. આ વડીલોને એમનાં ઘણાં સ્મરણો તાજાં હશે કે આ આચાર્ય મહારાજ અહીંયાં બિરાજમાન થયેલા, તેમની નિશ્રામાં સંઘ નીકળેલો, પ્રતિષ્ઠાઓ થયેલી વગેરે વગેરે. પૂજ્યપાદ શાસન-સમ્રાટના પ્રયત્નો થકી થયેલાં આ કામોને સરખાવીએ તો લાગ્યા વિના રહે નહીં કે ‘ના, તે અસ્તિત્વ કાંઈ જુદુ જ હતું.’ એવા વિરાટ અસ્તિત્વને સમજવાનો આપણો આ એક વામણો પ્રયત્ન છે. પણ તેથી આપણને એ સમજવાનો અધિકાર નથી એમ નહીં. ભલે આપણે વામણા હોઈએ પણ આપણા હૃદયમાં તેઓશ્રી માટે જે અહોભાવ પ્રગટ્યો છે એ આપણા મનના સંતોષ અર્થ પ્રગટ કરવાનો હક તો આપણને મળેલો જ છે. પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ વાત આપણને કહી છે स्वाध्यायावश्यक समो गुरुणाम् हि गुणस्तवः || (वज्रस्वामिचरिते) ગુરુભગવંતોનો ગુણાનુવાદ કરવો, એમના ગુણોનું ગાન કરવું એ આપણા માટે તો એક સ્વાધ્યાય કરવા જેટલું જ અગત્યનું કાર્ય છે. સાચેસાચ કહીએ તો આપણે ઘણીવાર આમાં ઊણા પડીએ છીએ. હવે આપણે પૂજ્યશ્રીના જીવનની કેટલીક સ્કૂલ વિગતો જોઈએ. Jain Education International. 2010_02 નેમચંદનું બાળપણ - કુટુંબપરિચય - શિક્ષણ જન્મભૂમિ સૌરાષ્ટ્રનું કાશ્મીર - મહુવા, નામ નેમચંદ. માતાપિતા દિવાળીબહેન અને લક્ષ્મીચંદભાઈ. જબકબહેન, સંતોકબહેન અને મણિબહેન એ ત્રણ બહેનો, અને પ્રભુદાસ તથા બાલચંદ બે ભાઈઓ. માતાપિતાને આ છ સંતાનો. જન્મ સંવત ૧૯૨૯ બેસતું વર્ષી લક્ષ્મીચંદભાઈ પોતે ધર્મિષ્ઠ. દ્રવ્યાનુયોગના અભ્યાસુ અને રસિયા. એમ ને એમ તો નેમચંદ જેવું બીજ પ્રગટે જ નહીં ને ! કહ્યું છે ને ઃ ‘મારે પારાવાળાં જન્મ જાખમળે: ત: ' : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy