SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પઘવિજયજી મહારાજ પાસે જે પરંપરાઓ હતી તે રૂપવિજયજી મહારાજ સુધી આવી. પછીથી એ તંતુ આગળ લંબાવી શકાયો નહિ. તેથી બન્યું એવું કે ડહેલાના ઉપાશ્રયમાં સચવાઈ રહેલી ઘણી ચીજો પરંપરાને પુનઃજીવિત કરવામાં કામ લાગેલી. આજે અમે જોગની અંદર પીંછાનું દંડાસણ વાપરીએ છીએ એ પશ્ચવિજયજી મહારાજની ભેટ છે. અમદાવાદમાં સંવત્સરી દિને સમેતશિખરજી-દર્શનની પરંપરા એ જ રીતે આજે અમદાવાદનો સકળ સંઘ સંવત્સરીના દિવસે સમેતશિખરજીની પોળ જાય છે. એ રડો ઉપકાર વિજયજી મહારાજનો છે. તેઓ પાટણથી આખા શિખરજીની રચના અમદાવાદ લાવ્યા. તેને અહીં સ્થાપન કરવાનો વિચાર એમને આવ્યો. શિખરજીમાં સૌથી વધુ મહિમા પાર્શ્વનાથ ભગવાનનો. એટલે અહીં જો પાર્શ્વનાથના દેરામાં એ રચનાનું સ્થાપન થાય તો વધુ સારું એ ખ્યાલથી એ પોળના દેરાસરમાં રચના બિરાજમાન કરી અને તેથી એ પોળનું નામ પણ સમેતશિખરની પોળ આપવામાં આવ્યું. આ પરંપરા આજદિન સુધી જળવાઈ છે. આવી પંન્યાસ ૫રવિજયજી દ્વારા શરૂ કરાયેલી કેટલીક પરંપરાઓનો ફરીથી દોર સાંધ્યો નેમિસૂરીશ્વરજી મહારાજે. આખીયે જોગની પરંપરા એમનાં પાનાંઓમાંથી ઉદ્યસૂરિ મહારાજે બહુ સમજણપૂર્વક સંકલિત કરી. આજે અમારે ગૌરવ સાથે કહેવું છે કે અમારા સમુદાયમાં જોગની જે પરંપરા છે તે સમાંતર સમુદાયના જોગની અંદર નથી. એ લોકો જયારે પણ પ્રસંગોપાત્ત વિહારમાં ભેગા થાય ત્યારે અમારી કાલગ્રહણની ક્રિયા, કાલ પલેવવાની ક્રિયા, પાટલી કરવાની ક્રિયા, સંઘકામાં બેસવાની ક્રિયા જુએ છે. એ જોઈને એમને આશ્ચર્ય અને અહોભાવ થાય છે. કચ્યાકલ્પ વિભાગમાં પણ અમારાં ધારાધોરણો બીજ કરતાં જુદાં છે. આ ખપે અને આ ન ખપે એમાં પણ ઉદયસૂરિ મહારાજે નક્કી કરેલી પરંપરાને અમે બરાબર જાળવી રાખીએ છીએ. આદ્રા નક્ષત્ર પછી વિહાર નહિ કરવાની પરંપરા: આદ્રા નક્ષત્ર પછી વિહાર ન કરવો આ પ્રાચીન પરંપરા મહારાજ સાહેબે પુનઃસ્થાપિત કરેલી. એ નવી નથી. પુજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે તેમજ રિદ્ધિવિજયજી મહારાજ, મણિરત્નવિજયજી મહારાજ આદિ સાત સાધુઓએ હાજા પટેલની પોળમાં રહીને જે એક પટ્ટક બનાવેલો એ પટ્ટકની એક કલમ છે. મોટા મહારાજ આ કલમ જોઈ કહે, ‘આ બહુ સારી વાત છે. આપણે એનો અમલ કરવો જોઈએ, અને અમલ શરૂ થયો. આજે તપાગચ્છના તમામ સમુદાયોની અંદર એક બાપજી મહારાજના અને એક અમારા સમુદાયમાં અત્યારે લગભગ એનું પાલન થાય છે. બધા મળે ત્યારે સ્વીકારે તો ખરા જ કે તમારી વાત સાચી છે. પરંતુ આ બાબત સ્વીકારવામાં પણ એક હિંમત જોઈએ છે. જ્યારે અણીશુદ્ધ શ્રદ્ધા થાય છે ત્યારે એનું આચરણ શક્ય બને છે. પણ જો શ્રદ્ધાન અણીશુદ્ધ ન થાય તો માત્ર એનો માનસિક સ્વીકાર થાય, ખરેખરો નહીં. જ્યારે મોટા મહારાજશ્રીએ જે-તે પરંપરાને સાચી રીતે ઓળખ્યા પછી તે શરૂ કરવા માટે કશાની રાહ જોઈ નથી. બીજાઓને સાથે રાખીને પછી આ કરવું એવું વલણ પણ એમણે નથી રાખ્યું. પોતે માંડલીના જોગ આ સ્વરૂપે બરાબર કરાવતા, કાળજી રાખતા. અને સાત માંડલીનાં જે આયંબિલ આવે છે તેમાં પૂરી ચોક્સાઈ રાખતા. શાસનસમ્રાટ પ્રવચનમાળા CO Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy