SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ જગતમાં મહાન ધર્માચાર્યોની તો ખરેખર બલિહારી જ છે!! તેઓ નિઃસ્પૃહી થયા થકા હમેશાં જગતના પ્રાણીઓનું હિત કરવામાં જ પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપતા દૃષ્ટિગોચર થએલા છે. તેવા મહાન્ ધર્માચાર્યોમાંના આ. શ્રી વિજયાનંદસૂરીશ્વર (શ્રી આત્મારામજી) મહારાજ પણ એક છે. તેમણે પોતાની જિંદગીપર્યંત શુદ્ધધર્મનો ઉપદેશ દેઇ લોકોને અનીતિના માર્ગમાં જતા અટકાવી આપણા પર અવર્ણનીય ઉપકાર કરેલો છે. વળી તેમણે પોતાના ઉત્તમ જ્ઞાનથી કેવળ ભારતનિવાસી લોકોને જ નહીં પણ પાશ્ચિમાત્ય વિદ્વાનોને પણ આનંદ ઉપજાવી તેઓની અનહદ પ્રીતિ પોતાતરફ ખેંચેલી છે, અને તેની સાક્ષાત સાબિતી એ છે કે, અમેરિકાના ચિકાગો શહેરમાં થએલા જગપ્રસિદ્ધ પ્રદર્શનમાં મળેલી ધર્મસભાએ તેમને હિંદુસ્તાનમાંના જૈનધર્મના સર્વોપરી મહાન આચાર્ય જાણીને ત્યાં પધારવા નિયંત્રણ કર્યું હતું. પણ ત્યાં જવામાં જૈનસાધુવૃત્તિનો વિધાત થતો હોવાથી તેઓ સાહેબ જઇ શક્યા નહીં; પણ તેમના તરફથી તેમની આજ્ઞા મુજબ મી. વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. ને મોકલવામાં આવ્યા હતા. અને એવી રીતે તેમની સહાયતાથી ત્યાં અમેરિકામાં પણ જૈનધર્મની ઉન્નતિ થઇ હતી. વળી તે ચિકાગોમાં મળેલી ધર્મસભાએ પોતાના રીપોર્ટમાં સદરહુ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી માટે (શ્રી આત્મારામજી માટે) નીચે પ્રમાણે અંગ્રેજી ભાષામાં લખાણ કરેલું છે. "No man has so peculiarity identified himself with the interests of the Jain Community as Muni Atma Ramji. He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day and night for the Jhigh mission they have undertaken. He is the high priest of the jain Community and is recognized as the highest living Authority on Jain religion and literature by oriental scholars" વળી તેમને હિંદુસ્તાનમાં મહાન વિદ્વાન અને ધર્માચાર્ય જાણીને નામદાર વડી સરકારે પણ તેમને વેદોનાં પુસ્તકો ભેટ દાખલ આપ્યાં છે. તેમણે લગભગ નવા છ હજાર માણસોને ઉપદેશ આપી શુદ્ધ અને નીતિવાન એવા આ જૈનધર્મમાં દાખલ કરેલા છે. વળી તેમણે જૈનતત્ત્વાદર્શ, તત્ત્વનિર્ણયપ્રાસાદ, અજ્ઞાનતિમિરભાસ્કર આદિ મહાન અને ન્યાયથી ભરપૂર શાસ્ત્રો રચીને લોકો પર અત્યંત ઉપકાર કરેલો છે. તેમાં રહેલા ન્યાયોપેત લખાણથી અન્યધર્મીઓના કેટલાક મહાન વિદ્વાન સ્વામી સંન્યાસી વિગેરેને પણ જૈનધર્મ પર ઘણી રુચિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy