SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠાશનું ઘણું વર્ણન કર્યું. હવે સાકરને ટુકડે મોઢામાં નાખી મીઠાશનો સ્વાદ માણીએ. Ideal Reality : (મનોમય ભૂમિકા ઉપરનું સત્ય) ભગવાન મહાવીરસ્વામી ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મોક્ષે ગયા. તે Historical Reality અતિહાસિક સત્ય છે. તે જાણવા માટે ઘણું ઉપયોગી છે, જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે Ideal Reality મને મય ભૂમિકા ઉપરનું સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનું મંદિર છે. ત્યાં અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality) કહેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરૂષના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે એક મોટું મંદિર હોવું જોઈએ, તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હોવા જોઈએ વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરૂષનાં મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનેમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જે સંત પુરૂષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હેત, તે અત્યારે ત્યાં જંગલ હત અગર બીજું કાંઈ હોત. સંત પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે Ideal Reality--મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે. જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનુધ્યનાં મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy