SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નવપદના ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા શ્રીપાલના રાસમાં મહાવીર સ્વામી દેશનામાં કહે છે – અરિહંત પદ ધ્યાત થકો, દવહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. ' વીર જિનેશ્વર ઉપદિશે. અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાને ઉપગ દયેય – પરમાત્મામાં તન્મય – તદ્રુપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતું ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજીએ. આવું “સાલંબન ધ્યાન” એટલે કે પરમાત્માના આકારે ઉપગને પરિણુમાવવાની કળા શીખવી અને હમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણી ચેતનાની ઊદવ ગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયા ટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે. ૧. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપગાકાર આમા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy