SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ શુદ્ધ સ્વરૂપ અને આપણું ઉપયોગમાં તેમનું શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સંબંધ થાય છે, જેમાંથી આપણી અંદર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે. શુદ્ધ સ્વરૂપની સભાનતા (Awareness in Absoluteness) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, અને તેનો ઉપાય પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન જ છે. તેથી પરમાત્મા આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્મા જ આપણું પ્રાણ, ત્રાણ, શરણ, આધાર બની જાય છે. તે જ આપણુ માતા, પિતા, નેતા અને બંધુ છે. त्वं मे माता पिता नेता, देवो घर्मा गुरुः परः । प्राणाः स्वर्गाऽपवर्गश्च, सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત શકસ્તવ. વિશ્વમાં દર્શન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક, સ્તવન કરવા લાયક કઈ હોય તો તે અરિહંત અને સિદ્ધ ભગવંત જ છે, તેવા ભાવથી સાધકનું હૃદય પરિપૂર્ણ ભરાય છે, સાધકની સર્વ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણી ખેંચાય છે, તથા પર વસ્તુ પ્રત્યે જે આદર અને બહુમાન હતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. રૂચિ પરમાત્માના સ્વરૂપમાં, રમણતા પરમાત્માના ગુણોમાં, તમયતા–તદ્રુપતા અને એકત્વ પરમાત્મામાં સધાય. છે, અને છેવટે Absorption in Atmaswarup–સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy