SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આ લેકેનું તાત્પર્ય એ છે કે ઉપર જે શંકા કરી તે કરવા યોગ્ય નથી. કારણ કે અમે અમારા આત્માની ભાવ-અરિહંત રૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે આગમથી ભાવઅરિહંત છે, તેથી સતતમાં તદ્દગ્રહરૂપ બ્રાતિ નથી, કિન્તુ તમાં (તેમાં )જ તતની (તેની) યથાર્થ માન્યતા છે. ૧૮૯. જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે આત્મા તન્મય (અરિહંતાદિમય) બને છે; તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવઅરિહંત થાય છે. ઉપાધિ સહિત એવા સ્ફટિક રત્નની જેમ આત્મજ્ઞ પુરુષ જે (અરિહંતાદિ) ભાવ વડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદ) ભાવ વડે તન્મયતા (તદ્દભાવરૂપતા)ને પામે છે, (અર્થાત્ જેમ સ્ફટિક-મણિ પિતાની સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આત્મા પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે.) ૧૯૦-૧૯૧. આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવે આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપ ગની સ્થિરતા કરવાની છે, દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy