SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સૌ કોઈ મહાન બનવા ઈચ્છે છે; સૌ કઈ શક્તિસંપન્ન બનવા ઇરછે છે. બધા જ તૃપ્તિ અને સમતાને આનંદ ઈચ્છી રહ્યા છે. આ માટે નીચેના નિયમો યાદ રાખે :– (1) મહાન બનવા માટે પરમાત્માની મહાનતાને હૃદયમંદિરમાં ધારણ કરો. (૨) શક્તિ સંપન્ન બનવા માટે પરમાત્માની અચિંત્ય શક્તિને મનમંદિરમાં ધારણ કરે. (૩) જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે હેાય તેટલી જ તૃપ્તિને અનુભવ જીવનમાં થાય છે. (૪) જેટલી મમતા ભગવાન પ્રત્યે હોય તેટલી જ સમતાને જીવનમાં અનુભવ થાય છે. (૫) પરમાત્માના નામને ચૈતન્યને મહાભંડાર સમજી જે મનુષ્ય નિરંતર પરમાત્માનું સમરણ કરે છે, તેને પરમાત્મા કપવૃક્ષની જેમ ફળદાયી બને છે. આ પાંચ નિયમોનું પાલન તમારા જીવનને જવલંત સફળતા Radient Successમાં પરીણમાવશે. સફળતાનું મૂળ ક્યાં છે ? દિધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકતા સાધવી. પરમાત્માની સાથે ધ્યાનમાં એકતા થતાં, આપણે શુદ્ધ આત્મા જે અનર્ગળ આનંદ અને અનંત સુખને મહાન ભંડાર છે, તેની સાથે આપણી એકતા થાય છે, અને આત્માના અનંત સમૃદ્ધિ, આનંદ, સુખ અને શક્તિના ભંડારમાં થોડી ક્ષણ માટે સ્થિરતા થતાં જ આપણું જીવન સમૃદ્ધ બની જશે, જવલંત સફળતાનાં પાન આપણે સર કરી શકીશું. આપણું જીવન આનંદ અને સુખમય થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy