SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આજે અનુભવ થયો છે. આજ સંધ્યાકાળે હું ભગવાનના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. સંધ્યાકાળે પરમાત્માનાં આરતી મંગળ દી અને ધૂપ પૂજા કરતાં મારા હૃદયમાં એવા અદ્દભુત ભાવ ઉત્પન્ન થયા કે જેના પ્રભાવથી આપણું સવ ભયે આજે જ નાશ પામી જવા જોઈએ.” માતા પૂછે છે, “હે મારી વહાલી પુત્રવધૂ! તને પૂજામાં કે અનુપમ ભાવ આવ્યો ત્યારે મયણા કહે છે-“આજે મને અમૃતક્રિયાને પરિણામ મારા હૃદયમાં ઉત્પન્ન થયે છે.” અમૃતકિયાના સાત લક્ષણે મયણુંસુંદરી અહી બતાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે આ સાત લક્ષણે યુક્ત ભગવાનની પૂજા અગર ધર્મનું કઈ પણ અનુષ્ઠાન જે થઈ જાય છે તો આજના કરેલા ધર્મના ફળ માટે આવતા ભવ સુધી નહીં પરંતુ આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. “અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુત ફળે છે-તિહાં નથી આંતરાજી” આજના કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત થાય છે. અમૃતકિયાના સાત લક્ષણે મયણાસુંદરી બતાવે છે. આપણે પણ પરમાત્માની ભક્તિ આવા અમૃતકિયાના લક્ષણે ચુક્ત કરવાની છે. ધ્યાનપૂર્વક આ લક્ષણે આપણે સૌએ હદયમાં ધારણ કરવાના છે. પ્રથમ લક્ષણ તદ્દગતચિત્ત, જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેમાં મન, વચન, કાયાના પેગેની સ્થિરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy