SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દીવસ વીતી ગયા છે. તેને આવવાનો વાયદે પણ પૂરે થઈ ગયા છે પણ હજુ આવેલ નથી. આપણે નગરજનોનું શું થશે તેની ચિંતાથી હું બહુ દુઃખી છુ.” તે વખતે મયણાં કહે છે – માયણ રે બોલે મ કર બેદ, મ ધરે ભય મનમાં પરચકનો જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશે. દુશ્મન રાજાનો ભય જરા પણ મનમાં ધારણ કરશે મા.” નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાલે છે ગ્રહ વકને જી. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મન હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે. વળી મયણાસુંદરી કહે છે: “મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝુમી રહ્યા છે. દુશ્મનને ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિને ભય, મૃત્યુને ભય, જેલખાનાને ભય, આજીવિકાને ભય, આબરૂને ભય. આ સાતે પ્રકારના ભય આપણે સર્વના ઉપર રહેલા છે, પરંતુ આ સાતે પ્રકારના ભય જાય રે જપતાં નવપદ જાપ, લહે રે સંપત્તિ ઈહભવ પરભવે છે. આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy