SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તે વ્યાપ્ત હેવાથી ફળ મળશે અસંખ્ય વખત ગણવાનું, કારણ કે અસંખ્ય વખત ગણાય તેટલી વિશુદ્ધિ તે વખતે થાય છે. | (૭) અહીંથી હવે અક્ષર અક્ષર રૂપ ધારણ કરશે. ૭થી ૧૨ સુધીના નમસ્કારમાં નીચે મુજબ ભાવ આવશે : નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત્ સ્વરૂપ બનવું, તદાકાર, ઉપયોગે પરિણમવું, તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. અને છેવટે તદ્રુપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. અહીં પાંચે પરમેષ્ઠિઓને અરિહંત પ્રભુમાં સમાવી લેવા. આપણું આત્માના ક્ષયપશમ ભાવના જે ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અમુક અંશે ખુલા છે. તે અત્યારે વિભાવમાં પડેલા છે. પરપુદ્ગલ અનુયાયી બનેલા છે. તે ક્ષપશમ ભાવના ગુણોને પરમાત્મ-સ્વરૂપના અનુયાયી બનાવીને છેવટે આત્મસ્વરૂપના અનુયાયી બનાવવા. એટલે પ્રથમ પરમાત્મ-સ્વરૂપના અવલંબનવાળું આપણું ચૈતન્ય બનાવવાનું છે. પરમાત્મ-સ્વરૂપ અનુયાયી આપણી ચેતના બનાવવાની છે. પરપુદગલના રંગે રંગાયેલી આપણી ચેતનાને પરમાત્મગુણેના રંગે રંગાયેલી બનાવવાની. છે. તેની પ્રક્રિયા ૭મા નવકારથી શરૂ થાય છે. સાતમે નમસ્કાર ક્ષપશમ ભાવથી અંશતઃ ખુલલા. થયેલા આપણા જ્ઞાન અને દશનગુણને પરમાત્મસ્વરૂપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy