SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ વાથી અહીં એક નવકાર પૂરો થશે પછી (૧૦) ભાલપ્રદેશ, બીજા નવકારનું પહેલું પદ અહીં આવશે. પછી (૧૧) કંઠ, (૧૨) હૃદય, (૧૩) નાભિકમળ, (૧૪) હથેળી, પુનઃ (૧૫) જમણા પગનો અંગુઠા, (૧૬) ડાબા પગને અંગુઠે, (૧૭) જમણે જાનુ, (૧૮) ડાબે જાન, અહીં બીજે નવકાર પૂરો થશે અને ત્યાંથી નાભિ સુધી દરેક સ્થાન પર એક એક પદ ગણતાં ત્રીજો નવકાર પૂરો થશે. આ રીતે દર્શન, પૂજન, વિગેરે કરતી વખતે, તેમ જ ધારણથી પ્રતિમા કલ્પીને પણ ત્રણ નવકાર ગણવા, એથી એકાગ્રતાને અભ્યાસ કેળવાય છે. ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અહીં તો માત્ર “ દિસૂચન” કર્યું છે. જે રીતે સાધકની ચિત્તવૃત્તિ પરમેષ્ઠિઓના ધ્યાનમાં એકાગ્ર બને તે રીતિએ આ અને આવા પ્રકારના બીજા પણ જરૂરી પ્રયત્નો કરવા પ્રયત્નશીલ બનવું એ તાત્પર્ય છે. કહ્યું છે કે “ભ્યાસઃ વાળ ફાસ્ટમાવત' અર્થાત ક્રિયાને અભ્યાસ કાર્યમાં કુશલતા પ્રગટાવે છે. જે બાળકને એકડે ઘુંટતાં મહિનાઓ વીતે છે, તેવા બાળકે પણ રાજના અભ્યાસથી સમર્થ વિદ્વાન બન્યાનાં દૃષ્ટાંતો મળે છે. તેમ પ્રારંભમાં મુકેલ જણાતું પણ જાપ અને ધ્યાન સતત અભ્યાસ થયા પછી સુકર બની જાય છે, માટે સાધકે જાપ તથા ધ્યાનમાં પ્રગતિ સાધવા માટે તેને અભ્યાસ સતત ચાલુ રાખવે. પ્રવેગ નં. ૯ :– ચેગિસમ્રાટુ પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી એગશાસ્ત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy