SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા આદરપૂર્વક આવી શકયા. આ બધો તત્વદષ્ટિપૂર્વકની સાચી જિજ્ઞાસાનો પ્રતાપ છે. - હવે આ તત્ત્વજિજ્ઞાસા દ્વારા અંતરંગ આત્માનુભૂતિ – સ્વરૂપાનુભૂતિ અને અંતરંગ આત્મિક આનંદમાં ડૂબકી માટે લક્ષ્ય કેળવી, આત્માનુભૂતિને આડે રહેલ મોહનીય કર્મના અવરોધોને હઠાવવા યોગ્ય પુરુષાર્થ કરવાની ખાસ જરૂર છે. તમો આ માર્ગે પગલાં ભરી તો રહ્યા છો પણ ચારિત્રમોહના ઉદયને પોષનાર લકઝરી ટાઈપની રહેણીકરણી, તેવા વાતાવરણથી પાછા હઠવાનો ઉપયોગ રાખવો જરૂરી છે. વિચારોમાં જે સાચું જાણ્યું છે એને અમલમાં મૂકતાં, કયારેક અજ્ઞાની – અણસમજુ આત્માની કરાતી નિંદા – ટીકા-ટિપ્પણીનો ભય જરા ખંખેરવાની જરૂર છે. વધુ ને વધુ આત્માનુભૂતિ તરફ જવા માટે મોહના સંસ્કારોને તોડનારી આચરણાઓને વધુ પકકડથી અપનાવવી જોઈએ. ૩૩ ૧૩-૩-૮૬ વ્યાવહારિક બધી પ્રવૃત્તિઓ શુભાશુભ કર્મના ઉદયને આધીન હોય છે. અંતરાય કર્મ આદિના અવરોધો આડા આવી જાય તો ઇચ્છા છતાં વ્યાવહારિક પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. તેથી પુરષાર્થવાદી જિનશાસન આત્મલક્ષી પ્રવૃત્તિઓમાં જ ધ્યાન કેંદ્રિત રાખવાનું કહે છે. બાકી વ્યાવહારિક શુભ પ્રવૃત્તિઓ પણ તે તે કર્મના ઉદય – સહકારને અપેક્ષીને થતી હોઈ વહેલી મોડી કે સારી-ખોટી થાય તો તે અંગે રાગદ્વેષની પરિણતિ ન થવા દેવા માટે સાવચેતીના સૂર આપ્યા છે. આપણામાં અનાદિથી દઢ થયેલ પુદ્ગલ રાગમાંથી ઊપજતા અહંભાવના સંસ્કારો, આપણામાં તે તે પ્રવૃત્તિઓની સફળતા - નિષ્ફળતાથી રાગદ્વેષની પરિણતિ ઉપજાવે છે પણ હકીકતમાં ઔદયિકભાવની પરિણતિ આપણા પુરુષાર્થને આધીન નથી. આપણો પુરુષાર્થ નિમિત્ત માત્ર છે. આ વાત ખૂબ ગંભીરપણે સમજવી જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy