SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા જોઈએ. વિચારોની સમતુલાએ આ વાતને ગંભીર માની ઓળખવી જરૂરી છે. પૂર્વના મહાપુરુષોએ શુભકર્મના ભરપૂર ઉદયે આનંદ-ભોગ વિલાસની પ્રચુર સામગ્રીવાળા જીવનને લાત મારી, સામી છાતીએ હોંશભેર જન્મોજન્મથી આત્મસત્તાને કર્મકલેશ વિડંબિત કરનાર કર્મસત્તાને પડકારીને, પરિષહ-ઉપસર્ગ થાય તેવી દશાએ સામે પગલે જઈ કર્મસત્તાના બંધનમાંથી આત્માને છોડાવવાના ધ્યેયને સફળ કર્યું છે. આપણે ધર્મની આરાધનાના પંથે ધપવા પ્રયત્નશીલ છતાં, ધ્યેયમાં શુભ કર્મની અસારતા - કે વધુ બંધનમયતા ઓળખી શકતા નથી. અશુભ કમ ઉઘાડી તલવારે મારવા આવતા દુમન જેવા છે. તેનાથી તો હરકોઈ સાવચેત રહી શકે અગર બીજાઓ પણ આપણને સાવચેત રાખી શકે અગર બચાવવા પ્રયત્ન કરાવે. પણ સફેદ ઠગ જેવા શાહુકારના વેષમાં દેખાવ – વાણી – વર્તન (બાહ્યથી) સારો છતાં પરિણામે આપણા અંતરના જ્ઞાનાદિ ગુણોને આવરનાર મોહનીય કર્મને તેડી લાવી આપણું સમૂળગું નિકંદન કાઢવા મથતા ઊજળા ઢગ બદમાશ જેવી પ્રવૃત્તિવાળાં શુભકર્મોથી તો કોઈ સાવચેત ન કરી શકે – આપણે પણ અંતરની નિર્મળ આત્મદષ્ટિ વિના તે હિતશત્રુ જેવાં શુભ કર્મોને ઓળખી – પારખી પણ ન શકીએ. તેથી આપણી આત્મવિકાસની યાત્રામાં કર્મસત્તાને મૂળથી ઉખેડવાની સાથે શુભકર્મો પણ સ્લો પોઈઝનની જેમ સરવાળે નુકસાનકારક છે. આ જાતની વિચારધારાનો ઉદય થવો જરૂરી છે. ગ) STE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy