SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા પછી વારંવાર તેઓ પણ સમજે. પણ આવું નૈતિક બળ કેળવવા માટે દર્શન, પૂજા, જાપ, સામાયિક, સ્વાધ્યાય આદિ ક્રિયાઓને, ક્રિયાયોગના ફૉર્મમાં અપનાવવાની ખાસ જરૂર છે. મારું તો એવું માનવું છે કે આ ક્રિયાયોગની પ્રબળ શક્તિ પેલા લોકોને કદાચ એમ પ્રેરણા પણ કરે કે આપણે શા માટે તેમને તેમની આધ્યાત્મિક ચર્યામાંથી ડગાવીએ ? એમ માનસિક ભૂમિકા બંધાય, અને તમે જરા અરુચિભાવ ને વાચિક ઈન્કાર દ્વારા જાહેર કરે તે સાથે, તેઓ તમારી સાત્વિક ચર્યાની અનુમોદના સાથે તમોને સહ્યોગી પણ બની જાય. જો કે આ વાત પ્રકૃષ્ટ ભૂમિકાની છે. તે પૂર્વે ક્રિયાયોગની સતત સુવિશુદ્ધ વાસના – કેળવવાની જરૂર કે મારે આ (TV. આદિ) પ્રસંગમાંથી ખસવું છે. તે લોકોને ખોટું ન લાગે તેવી પરિસ્થિતિની કામના આદિને, માનસિક ભૂમિકામાં ગોઠવી દેવાથી સહેલાઈથી આ અનિષ્ટમાંથી તમે બચી જશો. ઊલટું તેવા લોકોને થોડી પ્રેરણા મળશે કે આપણે સદ્ધર્મના અનુયાયી આધ્યાત્મિક સાધનાના મહત્ત્વને સમજનારા આવી મુદ્ર પ્રવૃત્તિમાં કેમ પ્રવર્તીએ ? તેના કરતાં પૂર્વાચાર્યના કો'ક સિદ્ધાંત-ગ્રંથની વિચારણા ન કરીએ ? કદાચ ઘરના બીજાઓની તેવી ભૂમિકા ન હોય તો પણ તમે અને ડૉ. વસંતભાઈ જેવા તો આ અનિષ્ટમાંથી વહેલામાં વહેલી તકે બચો એ ઈચ્છવા જોગ છે. તમારી પાછળ બચુભાઈનો પણ બચાવ થશે. મારી આ વાત પર ગંભીરપણે વિચારશો. જરૂર પડે, ઠીક લાગે તો વસંતભાઈ – બચુભાઈને પણ આ પત્ર વંચાવશો. ટૂંકમાં સારા વાતાવરણમાં પલોટાયેલા તમારા જેવાના સંપર્કમાં સંસારી વાતાવરણની અસર ઘટવી જોઈએ. ઘરમાં પણ અમુક છાયા ઊભી થવી જોઈએ કે ઘરનાં સ્ત્રી, બાળકો, બાલિકાઓ તમારી હાજરી દરમ્યાન સ્વત: ભૌતિકવાદના નિરંકુશવર્તન કે વિચારથી જીવનમાં સ્વચ્છંદપણે ન વતીં શકે. આમાં ધાક, ધમકીની જરૂર નહીં પણ આપણા અંતરના ભાવદયાપૂર્ણ વિચારો કે આ બધા ઘરના માણસો પણ ભૌતિકવાદની અંજામણી છાયાથી બચે અને આત્મતત્વને ઓળખવા માટેની માર્ગાનુસારીની મૂળ ભૂમિકા તરફ વળે એવા વિચારોની આ વાત સુશકય બને. તમે અંતરમાં શુભ કામનાઓ - ભાવદયાના પ્રવાહોને વહેતા કરી વાતાવરણ કેળવવા ભાવનાના બળે થોડો પ્રયત્ન કરશો, પછી વચનથી થોડો ઈન્કાર કે અરુચિ દાખવશો તો એમાં તમારું અને તેઓ બધાનું ભાવહિત બહુ સહેલાઈથી સધાશે. આ મારા અનુભવની વાત જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy