SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા m २२ Jain Education International E ચારૂપતીર્થ ૨૩-૮-૮૫ ગયા પત્રમાં યોગબિંદુમાં દર્શાવેલ જીવનશુદ્ધિ માટેનો ૨૦ મુદ્દાના કાર્યક્રમમાંથી પાયાના ૪ ગુણો – જેનાથી જીવનમાં સદાચારનો પાયો દૃઢ થાય છે – તેનું સ્વરૂપ વિચાર્યું. - હવે આ પત્રમાં જીવનશુદ્ધિ માટે જરૂરી વ્યવહારશુદ્ઘિના પાયાના ૪ ગુણોનો વિચાર કરાય છે. ૨૮૯ ૫. કોઈની પણ નિંદા ન કરવી - જગતમાં આપણી દોષદૃષ્ટિના કારણે આપણને દરેકમાં ખરાબી ભાસે છે, તેથી તેની ચર્ચા કરી આપણે જાણે સંતોષ માણીએ છીએ કે મેં આ ચીજનું વિશ્લેષણ બરાબર કર્યું. પણ જગતની કોઈ પણ ચીજ માત્ર ગુણ કે દોષથી ભરેલી હોય જ નહીં - બન્ને તત્ત્વો ઓછા-વધતા દરેક ચીજમાં હોય જ ! પણ આપણી અહંભાવની વૃત્તિમાંથી જન્મતી દોષદષ્ટિના લીધે, આપણને જગતની બીજી વ્યકિતઓમાં દોષદર્શન જ થાય છે. એમાં રહેલ ગુણોનું દર્શન, અહંભાવ અને દોષદર્શનની ટેવના પરદાથી ઢંકાયેલ દષ્ટિના કારણે થતું નથી. સરવાળે આપણે નિંદા દ્વારા આપણી દોષદષ્ટિનું પોષણ કરી સંતોષ માનીએ છીએ કે સામી વ્યકિતનું મેં બરાબર વિશ્લેષણ કરી સત્ય વાત જાણે જગત સામે મૂકી છે. પણ ખરેખર વસ્તુનું વિશ્લેષણ હોય તો માત્ર દોષોની સમીક્ષા અને તેમાંથી જન્મતી નિંદાવૃત્તિ જ કેમ ? તે વ્યકિતના ગુણોનું વર્ણન કેમ જીભ પર નથી ? ઊલટું કયારેક તીવ્ર થયેલ નિંદાવૃત્તિથી, સામાના ગુણો પણ આપણને દંભ-સગવડિયા ને તિરસ્કરણીય લાગે છે. આ બધો પ્રતાપ અહંભાવની પ્રબળતા અને તેમાંથી જન્મતી દોષદષ્ટિ અને નિંદાના રસનો છે. ખરેખર સામી વ્યકિતનું વિશ્લેષણ, અહંભાવને અળગો કરી નમ્રતા - તટસ્થતાના આધારે કરવામાં આવે તો જગતનો કોઇ પદાર્થ ગુણહીન આપણને લાગે જ નહીં. તેથી નિંદા કરવાની વૃત્તિ એ જીવનને મલિન કરનાર મહા-પશુભાવ-જન્ય છે. તેને વિદાય કરવું તે જીવનશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. ૬. સાધુ-સજ્જન ગુણિયલ મહાપુરુષોની પ્રશંસા કરવી - વ્યવહારશુદ્ધિના પાયામાં નિંદાના ત્યાગ સાથે, સારા મહાપુરુષોના ગુણો પ્રતિ પ્રશંસાની વૃત્તિ સાથે અનુમોદનાના ભાવની કેળવણી જરૂરી છે, જેથી આપણી દોષદષ્ટિના ઘટાડા માટે જરૂરી ગુણગ્રાહી દષ્ટિની કેળવણી વિશિષ્ટ રીતે થઈ શકે. જીવનમાં દૃષ્ટિ તો સક્રિય રહેવાની જ ! પણ મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા અહંભાવને લીધે દોષદષ્ટિ અનાદિથી સક્રિય બનેલ છે. તેને જ્ઞાનીઓની નિશ્રાએ રહી વિશિષ્ટ રીતે વિનય-નમ્રતાના અભ્યાસથી જીવનમાં બીજાના ગુણો ઓળખવા માટેની પકકડ ધીમે ધીમે વિકસે છે. જીવનમાં દોષદૃષ્ટિ જીવનને કર્મોના ભાર તળે દબાવે છે તેથી રહેલ કર્મોના ભારને ઘટાડવા માટે ગુણદષ્ટિ આપણને ગુણિયલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy