SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા તેથી તે દ્રવ્ય ઘટ ગણાય. તેમ જ્ઞાનની મૌલિક શક્તિ પ્રકાશ અને પરિણામે શુદ્ધ પ્રવૃત્તિરૂપ છે. તો જે જ્ઞાન આવ્યા પછી આપણામાં કર્તવ્યનિષ્ઠાનો પ્રકાશ અગર ક્રિયામાર્ગે સત્ પ્રવૃત્તિ કરી, નિર્જરાના પરિણામને ઉપજાવવાની શક્તિ ન હોય તે જ્ઞાન દ્રવ્ય કક્ષાનું ગણાય. એટલે કર્મનિર્જરાના ધ્યેયરૂપે જ્ઞાનના સંક્ષિપ્ત સ્વરૂપને ઓળખવાની જરૂર છે. પૂઠ ઉપાયશોવિજય મ જ્ઞાનસાર અષ્ટકમાં જ્ઞાનાષ્ટક (ગાર)માં ફરમાવે છે કે – “निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।" અર્થાત્ જે કર્મરૂપ અગ્નિ બૂઝી જવારૂપ નિર્વાણ = મોક્ષપદની ભાવના = સતત ચિંતના, જેનાથી થાય તે જ્ઞાન ઉત્કૃષ્ટ કોટીનું = શ્રેષ્ઠ ગણાય - વધારે શબ્દજ્ઞાનની સાપેક્ષભાવે જરૂર નથી.” વળી તે જ અષ્ટક (ગા. ૩)માં જણાવ્યું છે કે – “આવતામાંRIRM જ્ઞાનભિગતે ” સ્વ = આત્મા - તેનો જે ભાવ = શુદ્ધ સ્વરૂપ – તેનો જે લાભ = પ્રાપ્તિ, માટે યોગ્ય સંસ્કારો = ક્રિયાજન્ય અસરો = મોહના ક્ષયોપશમરૂપ = તેનું કારણ જે હોય તે જ્ઞાન ઈષ્ટ = મોક્ષમાર્ગ સાધક છે. અર્થાત્ પૂઠ ઉપાય ભગવંતે સ્પષ્ટ શબ્દોમાં, અનાદિકાલીન મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરનારી ક્રિયાઓ ઉપજાવે, તે જ્ઞાનને ઈષ્ટ ગણ્યું છે અર્થાત્ માત્ર શબ્દજ્ઞાન એ આત્મશુદ્ધિ માર્ગે ઉપયોગી જ્ઞાન નથી. વળી કહેવાય છે કે “જ્ઞાનં મન: ક્રિયા વિના' - ક્રિયા વગરનું જ્ઞાન ભાર = બોજા રૂપ બને છે. વળી ક્રિયા રહિત જ્ઞાન, મોહના સંસ્કારોના ક્ષયોપશમ વિનાનું એટલે સરવાળે જ્ઞાનનું અભિમાન, સ્વદોષોને છાવરવા, બીજાના દોષો ખુલ્લા પાડવા, આદિ અપ્રશસ્ત વૃત્તિઓના આધારે, મોહના સંસ્કારોના ગાઢ ઉદયના પરિણામે, આત્માના વિકાસને રૂંધાવનાર બને છે. તેથી જ પૂ ઉપાશ્રી યશોવિજય મહારાજે જ્ઞાનસાર (જ્ઞાનાષ્ટક ગા૫)માં ટંકારવથી કહેલ “વદ્રવ્યાપર્યાયવ વ વન્યથા ” જ્ઞાનની સફળતા-શ્રેષ્ઠતા શેમાં ? આંશિકરૂપે ક્ષાયોપથમિક ભાવે મોહના આવરણને ઘટાડી સ્વ આત્માના ગુણ-પર્યાયમાં રમણતા ઉપજાવે, તો તે જ્ઞાન શ્રેષ્ઠ છે. અન્યથા તે જ્ઞાન આત્મા માટે જોખમી છે. અર્થાત્ ભવભ્રમણને વધારવામાં નિમિત્તરૂપ બની જાય. તેથી જિનશાસનમાં પ્રખ્યાત “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ:” એ સૂત્રના પરમાર્થને જ્ઞાનીઓના ચરણે બેસી રહસ્યભરી રીતે સમજવાની જરૂર છે. તેમાં જ્ઞાન એટલે શાસ્ત્રીય શબ્દજ્ઞાન ગૌણપણે લીધું છે. બીજા નંબર પર શાસ્ત્રજ્ઞાન જેટલું બહોળું – વિશાળ, તેટલી તેની ક્રિયામાર્ગે વિધિ શુદ્ધિ જયણાનું બળ વધુ- તેથી એક નંબર - ફર્સ્ટ પ્રેફરન્સ તેને અપાય છે, જેનાથી આત્મા કર્મનાં બંધનોથી બંધાયેલ છે તે ક્રિયા = અશુભ = આશ્રવની ક્રિયાથી આત્માને મુકત કરવો એ જે ખરેખર પરમાર્થ છે. તે માટે જ્ઞાનીની નિશ્રાએ, વિધિ શુદ્ધ ક્રિયામાર્ગનું આસેવન એ જ મારા જીવનનો મુદ્રાલેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy