SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા GUs ૧૯ ચારૂપ તીર્થ ૨૩-૭-૮૫ જિનશાસનનો પાયો સદનુષ્ઠાન છે. ક્રિયા એ સદનુષ્ઠાનનું બાહ્ય ખોખું છે. તેનો પ્રાણ શું છે ? આત્માને કર્મનાં બંધનોથી મુકત કરવાનો સદાય. આનો આધાર છે જ્ઞાની નિશ્રા, વિધિનું પાલન અને શાસ્ત્રીય મર્યાદાઓનું અણીશુદ્ધ પાલન કરવાની તત્પરતા. આવા સદનુષ્ઠાન દ્વારા કર્મોની સકામ નિર્જરા થાય છે. આવા સદનુષ્ઠાનની ભૂમિકામાં નીચેની બાબતો ખાસ જરૂરી છે - જે પૂ આ શ્રી હરિભદ્રસૂરિશ્રીએ યોગબિંદુ (ગા.૧૩૦)માં જણાવી છે लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम्। प्रवृत्तिर्गर्हिते नेति પ્રઃ તૈf | અર્થાતુ શિષ્ટજન માન્ય અને પરંપરાએ આર્ય સંસ્કાર-ધર્મ નીતિને પોષનારા લોકાચાર (ચાલુ અજ્ઞાની લોકોએ પોતાની પૌગલિક ભાવોની પૂર્તિ માટે ગોઠવેલ સ્વચ્છંદાચારની વાત નથી, કેમ કે એના પર સદનુષ્ઠાન જેવી મહત્ત્વની ચીજ ટકે નહીં)-નું અનુસરણ, કયારેય પણ તેનો અપલાપ નહીં – વેદિયાવેડા કે એકાંગી પ્રવૃત્તિ સદનુષ્ઠાનની ભૂમિકામાં શોભે નહીં. વળી દરેકની સાથે યથોચિત વ્યવહારની જાળવણી - જેની જે કક્ષા હોય તે રીતે તેની સાથે યથોચિત વ્યવહાર જાળવવો. વ્યવહારની ભૂમિકાએ સહુનો યથોચિત જેવો વિકાસ હોય તેવો તે રીતે વ્યવહાર જાળવે. તથા ગમે તેવી સ્થિતિએ પ્રાણાંત કષ્ટના સમયે પણ શાસ્ત્રો, મહાપુરુષો અને લોકથી ગણિીય – નિંદનીય પ્રવૃત્તિઓમાં સ્વપ્ન પણ ભાગ ન લે. આ ૭ બાબતો સદનુષ્ઠાનની પાયાની ચીજ છે. પોતે શ્રી વીતરાગ પરમાત્માના શાસનની યથોચ્ચ ભૂમિકાએ, વિશિષ્ટ ક્રિયાઓ આચરતો હોય પણ, વ્યવહારમાં અલ્પજ્ઞ – મંદમતિવાળા જીવોની દષ્ટિએ શિષ્ટજન માન્ય, સંસ્કૃતિ પોષક ચાલુ વ્યવહારો તરફ બેદરકારી દાખવે, તો શાસન-ધર્મની અવહેલના થવાનો સંભવ ઊભો થાય. તે જ પ્રમાણે પોતે જાણે મોટો ધમ થઈ ગયો અને બીજા અજ્ઞાની કે ધર્મમાર્ગે આગળ નહીં વધેલા તરફ તુચ્છકાર ભાવ કે હીન દષ્ટિ દાખવે તો તેમાં પણ ધર્મ-શાસન લજવાય. આ રીતે યથોત્કૃષ્ટ ધાર્મિક જીવન જીવનારો, સંયોગોની વિષમતાઓ કે મોહના સંસ્કારોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy