SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૭૪ સર્વકલ્યાણકર ક્રિયાયોગના રાજમાર્ગથી દૂર લઈ જનારી નીવડી. તેથી આત્માને ક્રિયાયોગમાં જોડવાની સાથે પંચસૂત્રકારે કહેલ – “મારું નીવે, મારું નીવર્સ મવે, મળ મૂતંગોના નિવ્રુત્તિ'' એટલે કે – “જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે, તે સંસાર કર્મના અનાદિકાલીન સંયોગને આભારી છે.” – આ ત્રણ બાબતો ગુરુચરણોમાં બેસી આના પરમાર્થને સમજવાના પ્રયત્ન સાથે હૈયામાં સ્થિર કરવી જરૂરી છે. ઉપરની ત્રણ બાબતોમાં જીવ = કર્મસહિત આત્માની અનાદિતા, તથા વિજાતીય કર્મ તત્વથી ઊપજતા સંસારની પણ અનાદિતા તથા તે સંસારને ઉપજાવનાર કર્મના સંબંધની પણ અનાદિતા જણાવી અન્ય દર્શનકારોએ નહીં સ્વીકારેલ આત્મશુદ્ધિની ત્રણ બાબતો * જીવ અનાદિથી મલિન છે. * સંસાર અનાદિકાલીન છે. * તેને ઊભો કરનાર કર્મનો સંબંધ – ઈશ્વરાદિ નહીં પણ અનાદિનો છે. આમ આ આખા સંસારનું મૂળ કારણ કર્મનો સંબંધ છે. એટલે કોઈ ઈશ્વર જેવી વ્યક્તિએ આપણને માયાના ફંદામાં ફસાવ્યા નથી. સંસાર આખો કર્મના સંબંધથી ઊભો થાય છે. આથી સૃષ્ટિવાદ અને ઈશ્વરનું કર્તુત્વ બન્ને અર્થશૂન્ય બની જાય છે. કર્મ એટલે આપણો પુરુષાર્થ. અત્યાર સુધી આપણે પુગલકેંદ્રિય બની અવળી દિશામાં પુરુષાર્થ કર્યો તો સંસાર ઊભો થયો. હવે જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી અવળા પુરુષાર્થને અટકાવી (સંવરભાવ કેળવી), અવળા પુરુષાર્થના પરિણામે આવેલ વિજાતીય તત્ત્વ = કર્મોને ખંખેરી (નિર્જરાથી), આત્મશુદ્ધિ સહજ રીતે મેળવી શકાય છે. એટલે જિનશાસનની ઓળખાણના ફળરૂપે ક્રિયાયોગની આસેવનામાં, આપણી અજ્ઞાનદશા-સ્વછંદતાના કારણે પુદ્ગલકેંદ્રિય પ્રવૃત્તિઓથી ઊભા થયેલ કર્મોના સંબંધને ખંખેરવાની વાત લક્ષ્યમાં રાખવાની આવશ્યકતા છે. જિનશાસનની પાયાની આ વાત ખ્યાલ બહાર ન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy