SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા २६४ અત્યારે આપણે ઉપરના ૩૫ ધમોંમાંથી મ = નહીં, કાઢી નાંખતાં જે ૩૫ પગલિક ભાવો છે તે આજે આપણે અનુભવી રહ્યા છીએ, તેનો ઘટાડો અને વિનાશ સુશય થઈ શકે. એટલે ક્રિયાઓ શુદ્ધાત્મસ્વરૂપ સાથે જોડનાર હોઈ ક્રિયાયોગ બની જાય છે. ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વક આચરણાથી મોહનીય કર્મનો ક્ષય જરૂર થાય જ ! સરવાળે તે ક્રિયાઓ આપણા વિશુદ્ધ સ્વરૂપ સાથે આપણો મેળ કરાવી આપનાર બને. એટલે ક્રિયાયોગની આચરણા ક્રિયાયોગરૂપ જ્યારે પરિણમે ત્યારે ખરેખર જિનશાસનની સાચી ઓળખાણ થઈ ગણાય. આ જાતના ક્રિયાઓના મૌલિક બંધારણને જ્ઞાની ગુરુઓનાં ચરણોમાં બેસી ઓળખવાની જરૂર છે. વર્તમાનકાળે ક્રિયાઓનો પ્રવાહ ઘણો ચાલુ છે. પણ ક્રિયાયોગમાં મૌલિક બંધારણના પાયાસમી જ્ઞાની નિશ્રા અને વિધિનો આદર બહુ ખૂટે છે. તેના યોગ્ય સંયોગ માટે તમારા જેવા વિવેકીઓએ જરૂર પ્રયત્ન કરવા જેવો છે. III પાલિતાણા ૬-૫-૮૫ વિજણાવવાનું કે આત્માની ઓળખાણ માટે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત ઉપયોગી નીવડે પણ આત્માના અશુદ્ધ સ્વરૂપની ઉત્પત્તિ, તેના હેતુ અને તેને વારવાના ઉપાયની વાતોની ભૂમિકા દઢ થયા વિના આત્માના શુદ્ધ સ્વરૂપની વાત મોટે ભાગે અનાદિકાળથી આત્માને વળગેલ ક્રિયામળનો વધારો કરે છે. પૂ ઉપાયશોવિજયજી મહારાજે આપણા જીવનને શુદ્ધિના પંથે વાળવાનું માર્ગદર્શન આપનાર સદ્દગુરુ ભગવંતના પરિચયને જણાવનાર શ્રી ગુરુતત્ત્વવિનિશ્ચય' નામના ગ્રંથમાં એક જગ્યાએ ખૂબ ભાર દઈને જણાવેલ છે કે, “આપણા જીવનમાં વિકૃતિઓને ઉપજાવનાર બે જાતના મળ છે. ૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy