SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ધકકો લગાડનાર થાય છે. તેથી શરૂઆતના પત્રોમાં આત્માની હાલની દશા, આપણા અવળા પુરુષાર્થથી બંધાયેલ કર્મોથી થઈ છે, માટે જ્ઞાની નિર્દિષ્ટ માર્ગે સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રત, નિયમ, પચ્ચકખાણ આદિ ક્રિયાયોગના રાજમાર્ગે, કુળ સંસ્કારથી પણ ચાલવામાં સરવાળે સાર-લાભ છે. ઊંચી પરમજ્ઞાનીની વાતો કરી, અવળા પુરુષાર્થની ભોગવાસનાની દિશામાંથી પાછા ફરવા માટે જ્ઞાનીઓએ ચીંધેલ ક્રિયાઓના પંથે, ઉલ્લાસ કે સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેનારો પુણ્યાત્મા, મોટા દેવદુર્લભ માનવજીવનને હારી જાય છે. પંચમઆરામાં આ જિનશાસનની દ્રવ્યથી પણ પ્રાપ્તિ, ખૂબ ઉચ્ચકોટિની પુણ્યાઈને સૂચવે છે કે જેથી કુળ સંસ્કારથી પણ સહજ ભાવે ક્રિયાયોગનો રાજમાર્ગ હાથે ચઢી જાય છે. જે માર્ગ જ્ઞાન-શુદ્ધ નિશ્ચયનયની વાતો કરનારાને, પૂર્વાભ્યાસના અભાવે અગર ક્રિયામાં શારીરિક માનસિક શ્રમ-કષ્ટ-સહન કરવાની તત્પરતાના અભાવથી, ક્રિયાયોગ મેળવવો – આસેવવો દુર્લભ બની જાય છે. તેથી અનાદિના સંસ્કારોને દુર્બળપ્રાય: બનાવનાર ક્રિયાયોગની ભૂમિકા, વ્યવસ્થિત રીતે કેળવવાની જરૂર છે. જેથી શ્રાવક જીવનની મોહના ક્ષયોપશમની વિશિષ્ટ ભૂમિકા, આદર્શ રીતે મેળવી શકાય. જેના પરિણામે સર્વવિરતિ ચારિત્રની તીવ્ર ઝંખના અને તેના પ્રતિ ઉત્કટ આદરભાવ કેળવાય. તે કેળવાય તો, વર્તમાન સાધુઓની શિથિલતાના નામે સાધુત્વની ઉપેક્ષા કદી ન આવે. તેમજ આવી સાધુતાના માર્ગનું સંબોધન કરનારા કેવળી ભાષિત શાસ્ત્રો પ્રતિ, અપૂર્વ ભકિતરાગ પ્રગટે. અને આવા શાસ્ત્રને ઉપદેશનાર સદ્ગઓ અને જ્ઞાની ભગવંતો પ્રતિ હૈયાનો રાગ ઊછળે. માટે મોહના ક્ષયોપશમને કેળવનાર ક્રિયાયોગની આવના, જ્ઞાનીની નિશ્રાએ કરવી તે વાસ્તવિક રીતે આત્મદર્શનનો અમોઘ સરળ-ટૂંકો ઉપાય છે. અહીં એક વાત ધ્યાનમાં રહે કે આજે ક્રિયાઓ ઘણી દેખાય છે, પણ જ્ઞાનીઓ ક્રિયાયોગનું મહત્ત્વ વધુ જણાવે છે. ક્રિયાયોગ એટલે ક્રિયાઓનો યોગ = સંબંધ-જ્ઞાનીઓની આજ્ઞા-મર્યાદાના પાલન સાથે હોય તે ક્રિયાયોગ, જેમાં વિધિનું સતત પાલન કરવાની તમન્ના હોય, અવિધિનો ત્રાસ હોય, અને આવા વિશિષ્ટ ક્રિયાયોગના આરાધકો પ્રતિ અંતરનો ભાવોલ્લાસ હોય. આવા ક્રિયાયોગના આસેવન સાથે અંતરીક્ષ સામે, જ્ઞાનીઓ પાસેથી વિનયપૂર્વક, અધિકારિતાના વિકાસ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષય થવાના પરિણામે, આત્માના સ્વરૂપને ઓળખવા, પ્રયત્નની ઉપાદેયતા સતત રાખવી ઘટે, જેથી લસ્યહીનતા આપણામાં ન આવી જાય. અન્યથા ક્રિયાઓથી બંધાતા પુણ્યના વિપાક રૂપે, પૌગલિક રાગ વર્ધક સંસારી સુખોની તમન્ના આપણા વિચારોમાં ઝળકે. સરવાળે હતા ત્યાં ને ત્યાં આવી ઊભા રહીએ એવું થાય. પુદ્ગલ રાગ જ વિભાવ દશાનો આધાર છે. તેમાંથી છૂટવા ક્રિયાયોગનું આસેવન જ્ઞાની નિશ્રાએ કરવાનું છે. તેથી ક્રિયાયોગના આસેવનના પરિણામે કર્મનિર્જરાનું લક્ષ્ય ન રખાય તો, ફરી પાછા પુણ્યના ફળ ભોગવવા સંસારના ચકરાવે ચઢી જવાય. તેથી મોહના સંસ્કારોની ક્ષીણતા – ક્રિયાયોગનું લક્ષ્ય ટકાવી રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy