SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૪૭ હટી જવું તે પ્રશસ્ત માર્ગ છે. આરાધનાના પંથે માનસિક મકકમતા ટકાવવા તેવા વાતાવરણની પવિત્રતા ખાસ જરૂરી છે. ગૃહસ્થ જીવનમાં તેવા વાતાવરણની બહુ ખામી હોય જ ! તેથી વારંવાર દેરાસર – ઉપાશ્રય કે ઘરે શ્રી નવકાર આરાધના મંદિરના સંપર્કમાં આવી વિચારોનું બળ મેળવવું જેથી સંસ્કારોના આવેગને ક્ષીણ કરી શકાય. વળી શ્રી નવકાર મહામંત્રના આરાધકે અંતરની શકિતઓના વિકાસના ધ્યેયને બર લાવવા જ્ઞાનીઓની આજ્ઞાને વફાદાર રહેવા ખૂબ વ્યવસ્થિત પ્રયત્ન કરવો જોઈએ. આપણી પરિસ્થિતિ, ભાવ, કર્તવ્ય કરવાની તૈયારી આરાધનામાં આપણી શકિતઓને આગળ જતી અટકાવે વ્યવહાર અને સંસારની ઉપાધિઓના ગૂંચાળા એવા વિષમ જટિલ હોય છે કે ભલભલા પોતાની કર્તવ્યનિષ્ઠામાંથી ખસી જાય છે. પણ શ્રી નવકારને સમર્પિત રહી આરાધનાનું બળ વધારનાર પુણ્યાત્મા પોતાની જાતને સંસારની વિષમતાઓ વચ્ચે પણ નિખાલસ રાખી અંતરને શકિતઓના માધ્યમરૂપે ટકાવી રાખવા નિખાલસતાથી સમર્પિત ભાવને ઘટવા દેતો નથી. તથા વિચારોની દુનિયામાં સહેજ ખરાબી તે આરાધનાને પોષક નથી. આરાધકે ખરેખર તો જ્ઞાની ગુરુઓનાં ચરણોમાં રહી પરમેષ્ઠીઓની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કરી તદનુરૂપ આપણી જાતને ઘડવાનો પ્રયત્ન જરૂરી છે. જો કે સંસારમાં રહેલા માટે આ વાત જરા અઘરી લાગે તેમ છે, પણ આરાધનાના પંથે ખાસ જરૂરી સમર્પિતભાવની કેળવણીને વધુ સક્રિય બનાવવા માટે આ જાતની કર્તવ્યનિષ્ઠા અને કાર્યસરણિ ટકાવવી જરૂરી છે. તમે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા વિધિસહિત કરીને મોહના સંસ્કારોને શકિતહીન બનાવવા પ્રયત્નશીલ છો તે આનંદજનક બીના છે. તેની સાથે વ્યાવહારિક જીવનમાં પાપની ધૃણા અને અંતરના રાગાદિ દૂષણો છલકાય નહીં તે જાતના આદર્શ વ્યવહારને તમે ટકાવી રાખો અને જીવનશુદ્ધિના ભગીરથ કાર્યને સરળ બનાવો એ ઇચ્છવાજોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy