SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પરિણામે વિચારોની ગતિ ક્ષીણ થાય અને મનની ચંચળતા ખલાસ થઈ જાય માટે તમારે અંતરંગ નિખાલસતા સાથે શ્રી નવકારને સમર્પિત રહી આ જાતની જાપની ભૂમિકા કેળવવી જરૂરી છે. કક પાલનપુર ૮-૯-૮૩ વિશ્રી નવકાર વિપુલ શક્તિનો ભંડાર છે, જરૂર છે માત્ર સમર્પિત થવાની - સમર્પિત થયા કે તેની તમામ શકિતઓ આપણા અંતરના કચરાને સાફ કરવા માટે. અનાદિકાળના રાગાદિના સંસ્કારો અંતરમાં સમર્પિત ભાવને ઊગવા દેતા નથી. માટે વર્ણયોગની સાધના સ્થાનયોગની નિયમિતતા દ્વારા કરી રાગાદિના સંસ્કારોને નિર્બળ બનાવવા જરૂરી છે. ગળથૂથીથી મળી ગયેલ પરમનિધાનતુલ્ય મહામૂલા શ્રી નવકાર મહામંત્રનું મહત્ત્વ આપણને ‘ગતિવિયવજ્ઞાની જેમ તેના પ્રતિ અહોભાવ જાગતો નથી. અહોભાવની ખામીથી અંતરનો સમર્પિત ભાવ વિકસતો નથી. તેથી શ્રી નવકાર એ શું છે ? કેટલી તેની વિરાટ શક્તિ છે. એ અંગે અંતરને ખૂબ જ તેની યશોગાથાથી વાસિત કરવાની જરૂર છે. અંતરમાં જેણે ભક્તિભાવનો પ્રવાહ શ્રી નવકાર તરફ વાળ્યો તે જ ખરેખર અંતરમાં ગાઢ આસન જમાવી બેઠેલ રાગાદિના સંસ્કારોને નિર્બળ બનાવી સમર્પિત ભાવની સફળ કેળવણી કરી શકે. જુઓ ! સુદર્શન શેઠ – જેમના જીવનમાં આદર્શ બ્રહ્મચર્યવ્રતના બળે શૂળીનું સિંહાસન થયેલ તે મહાપુણ્યશાળી સુદર્શન શેઠની ધાર્મિકતાનો પાયો શ્રી નવકાર પ્રતિ અંતરંગ અહોભાવભરી ભકિતથી મંડાયો છે. સુદર્શન શેઠ પૂર્વભવમાં એક શેઠિયાની ગાયો-ભેંસો ચરાવનાર હતા. જંગલમાં ઢોરોને લઈ જાય - ઘાસચારો ચરાવી નદીએ પાણી પાઈ સાંજે ઘરે લાવે. આ જાતના તેના કાર્યક્રમમાં તેના અંતરની નિખાલસતા - સરળતા, કરુણા, આદિ ગુણોની સંપદાના આધારે જંગલમાં દુખિયા જીવોની સેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy