SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા סל ૧૦૨ 延 જૈન આગમમંદિર, પાલીતાણા ૧૫-૯-૮૪ વિ બાહ્ય વ્યવહાર અને આરાધના બંને વચ્ચે વિચારોનું અંતર વધવા ન પામે તે ખાસ ઇચ્છવા જોગ છે. વિચારોમાં બાહ્ય વ્યવહાર મુખ્ય થઈ જાય અને સાધના ગૌણ કે ફોર્મ્યુલીટી પૂરી કરવા રૂપે થતી જાય તો તે વિચારો સાધનાના ભાવિક્ષેત્રમાં મોટી ખાઈ-રૂપ બની જાય છે. ૨૦૩ બાહ્ય વ્યવહારો, પ્રામાણિક ફરજ, પુરુષાર્થને અદા કરવારૂપે આરાધકને પ્રવર્તવું પડે પણ હૈયું આરાધનાના પંથે જવા ઉત્સુક રહે, હૈયામાંથી આરાધનાની ઉપાદેયતા ન વીસરાય તે ખાસ જરૂરી છે. કાયાથી, વચનથી, સંસારનાં કામોમાં આપણે પ્રવર્તીએ પણ મનમાં પંચિંગ રહે કે આ પુણ્યની ખામી છે કે સંસારના પદાર્થો માટે પુરુષાર્થ કરવો પડે છે. ખરી રીતે પુરુષાર્થ આપણા જીવનની પરમ શુદ્ધિ માટે આડે રહેલ વાસના વિકારી તત્ત્વોને હઠાવવા કરવાની જરૂર છે. આવી વિચારધારા શ્રી નવકારના આરાધકના હૈયામાં ગુંજતી રહે. આ ભૂમિકાએ આરાધકે સર્વાધિક પ્રયત્ન કરીને ચાલવાની ખાસ જરૂર છે. નહીં તો કાંત્યું - પીંજ્યું કપાસ થતાં વાર શી લાગે ? આરાધના દ્વારા મેળવેલ વિવેક, સદ્વિચાર કે શુભ નિષ્ઠાનું બળ સંસારની પ્રવૃત્તિઓમાં અનાદિના સંસ્કારો રોકવાનું લક્ષ્ય આપણી આરાધનામાં કેળવાયું ન હોય તો તે સંસ્કારો આરાધનાના બળને, શુભ નિષ્ઠા – સદ્વિચારોની ભૂમિકાને નષ્ટ કરી નાંખે. આ રીતે તો જીવન ઊંચે આવે શી રીતે ? પાંચની કમાણી માંડ થાય ત્યાં આપણી બેદરકારીથી ૧૦ના નુકસાનમાં ઊતરી જઈએ તો પરિણામે ઉન્નતિનો પંથ હાથમાં આવ્યો શા ખપનો ? Jain Education International તમોને ૨૦૩૦ની સાલથી પરમપુનિત શ્રી નવકારનો સંપર્ક થયો ૨૦૩૩માં તમે ટોપ લેવલમાં હતા, પછી ૨૦૩૫-૩૬-૩૭ ડાઉન લેવલમાં ૨૦૩૮માં ફરી પાછા ચઢ્યા, ફરી ૨૦૩૯માં ડાઉનમાં આવ્યા. સાધનાક્ષેત્રે ચઢાણ ઉતરાણ આવે જ ! સીધો સાધનાનો પંથ હોય જ નહીં. સાર એટલો કે ચઢાણના પ્રમાણમાં ઉતરાણ ઓછું હોવું ઘટે, તે ઓછું રહે તે બદલ સાવચેતી કેળવવાની. બાહ્ય વ્યવહારો, સંસારની જવાબદારીઓ તમોને કયારેક ગૂંચવે છે, જેના પરિણામે હજી તમો સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજામાં વધ્યા નથી, તેમ જ રાત્રિ ભોજન ત્યાગ અને ભાઈબંધોના કે બાહ્ય વાતાવરણના સંપર્કથી હજી તમે જોઈએ તેટલા પાછા વળ્યા નથી. પરિણામે ૨૦૪૦ની સાલમાં પરિણામ – રિઝલ્ટ મારી દષ્ટિએ ૦ તરફ ડાઉન વધુ લાગે છે અપેક્ષાએ મને સંતોષ છે, પણ શકિતના ધિરાણના પ્રમાણમાં વ્યાજ પણ પૂરું મેળવી શકયો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy