SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૯૦ તમો તે બીજેને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા (વિધિસર), સામાયિક, નિયમિત જાપ, સાત્વિક આહાર - વિહાર, સુજનોચિત શિષ્ટ ચર્યાવાળા દૈનિક વ્યવહાર આદિ - પાણી - ખાતર સૂર્યપ્રકાશ આદિ સાધનોથી નવપલ્લવિત કરી તમે તમારા જીવનમાં આરાધનાના મહાવટવૃક્ષની શીતળ છાયામાં બેસી વિકારી વાસનાઓ અને કલુષિત વિચારધારાના સકંજામાંથી છૂટી પરમેષ્ઠીઓની આજ્ઞા પ્રમાણે શુદ્ધ સદાચારમય સંયમ અને આરાધનાના વિશિષ્ટ ઉચ્ચ પગથારે તમે પહોંચી શકો એ મંગલ પ્રાર્થના. આવતીકાલે ચૌદશ છતાં પંચાગની રીતે ગુરુપૂર્ણિમા છે સાથે ગુરુવાર છે. ગુરુપૂર્ણિમા એટલે બાર મહિનાનો આધ્યાત્મિક પવિત્ર દિવસ છે. આ દિવસે આધ્યાત્મિક પંથે પ્રેરણા કરી ધપાવનારા માર્ગદર્શકનું કૃતજ્ઞતાપૂર્વક બહુમાન કરી આંતરિક ભાવોલ્લાસ, અનોખું આત્મસમર્પણ અને નિખાલસ રીતે જાતને ખુલ્લી ધરી દેવાની તૈયારી રૂપ ભટણું ધરી આપણા જીવનમાંથી ખૂણેખાંચરે રહેલ વાસના, કષાયો, વિકારો, ઈર્ષા, પ્રમાદ, તૃષ્ણા, આદિ કચરાને કાઢી અંતરના વિવેકના સિંહાસને ગુરુતત્વને બેસાડી તેઓની આજ્ઞાને જીવનનો ધ્રુવ તારક બનાવવાની તૈયારી ગુરુપૂર્ણિમાએ કરવાની છે. ચૌદશ ચારિત્રની તિથિ - તે દિવસે પંચાંગના ગણિત પ્રમાણે પૂર્ણિમાનો યોગ - તેની સાથે ગુરુવારનો મેળ આ ત્રિવેણી વિશિષ્ટ આરાધકો માટે ખૂબ જ મહત્ત્વની છે. ગુરુચરણે ગતવર્ષની સાધનાનું સરવૈયું રજૂ કરી શકય સંજોગોએ સાધના માર્ગે પ્રવૃત્તિમાં રહેલ મંદતાને ખંખેરવા ગુરુચરણોમાં વિનીતતા - કૃતજ્ઞતા અને નિખાલસતાની ત્રિપુટી દ્વારા આદર્શ પ્રેરણાનું બળ મેળવી અંતરથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આચરણમાં ક્યાંક ઉપેક્ષા, કયાંક સંજોગોની ભસ છે. કયાંક ભાઈબંધોનું દબાણ ન ટાળી શકવાની કમજોરી છે. આ ત્રણે દૂષણો સાધના માર્ગે ખૂબ જ અવરોધ ઊભો કરે છે. મારા જીવનમાં ૨૪ થી ૩૯ વર્ષના ગાળામાં આ ત્રણ દૂષણોએ મારી સાધનાને ખૂબ ધીમી પાડી દીધેલ. પણ ૧૯ થી ર૩ના ગાળામાં એવા ખૂબ પ્રભાવશાળી બીજે – નિમિત્તોનો સહ્યોગ મળેલ, જેના પરિણામે મારા જીવનના ૪૦મા વર્ષથી દેવગુરુની કૃપાને સક્રિય કામ કરવા તક મળી. જો આ ત્રણ દોષ મારી ઉપેક્ષાથી મારી સાધનામાં પેઠા ન હોત કે મારા ૧૪ થી ૧૯ વર્ષના ગાળામાં એવી સરસ આરાધનાની ભૂમિકા પૂર્વજન્મના સંસ્કારોથી થવા પામેલ જેના પરિણામે ૪૦માં વર્ષે જે પાટા પર ગાડી દોડવા માંડી તેનો લાભ મને ૨૮મા વર્ષથી મળી શકત. ૧૨ વર્ષનો ગાળો મારી પોતાની ઉપેક્ષા અને આ ત્રણ દોષોની પ્રબળતાને રોકવા પુરુષાર્થની ખામીથી મારા માટે સોનેરી તક બહુ મોડી મળી. પુણ્યવાનો! તમારા જીવનમાં મારી માફક પાછળથી પસ્તાવાનો વખત ન આવે કે અરેરે! આપણે સોનેરી તક ગુમાવી, માટે આવતી કાલની ગુરુપૂર્ણિમા - ગુરવાર સહિત ચોમાસી ચૌદશના પવિત્ર દિને દઢ સંકલ્પ કરી ઉપેક્ષા, સંયોગોની ભસ અને ભાઈબંધોના દબાણને વશ થવાની રીતિ-નીતિ પર જરા વેધક નજર નાંખી અંતરંગ પુરુષાર્થની માંગણી પરમોચ્ચ દિવ્ય શકિતનિધાન રાજ રાજેશ્વર મહામહિમશાળી શ્રી નવકાર પાસેથી મેળવવા શરણાગત ભાવે આજીજીપૂર્વક કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy