SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭૯ આપણા હાથે નંખાતા પાયા બંધ થાય, પુણ્યની સરવાણીઓ પ્રબળ થાય - એ શ્રી નવકારના જાપનું ફળ છે. પુણ્યશાળીઓ તમે બધા આ નવકારના જાપની ભૂમિકાએ ઉદાત્ત વિશ્વશાંતિના ફળને અનુભવો એ શુભ કામના! 8 જૈન આગમ મંદિર, પાલીતાણા ર૯-૫-૮૪ વિમોહમાયાના સંસ્કારો આરાધક આત્માને નડે જ નહીં. નડે તો આપણી આરાધનામાં તેટલી સમર્પણભાવની ખામી. નડવું એટલે આપણી આરાધનાના માર્ગમાં નિયત કરેલા કે થયેલા પ્રોગ્રામમાં અવરોધ ઊભો થાય તે. હકીકતમાં શ્રી નવકાર એ જગતની સર્વોપરી મહાસત્તા છે. તેમાંના પંચપરમેષ્ઠીઓ એ વિશ્વના સર્વોપરી વિશુદ્ધકક્ષાનાં તત્ત્વો છે, તેને નમવાનું એટલે આત્મ-સમર્પિતભાવે આપણા અહંભાવ અને આપણી જાતને નગણ્ય કરી અગર ઓગાળી વિશુદ્ધ સ્વરૂપવાળા પંચ પરમેષ્ઠીઓ સાથે પાણીમાં ભળેલ સાકરના ગાંગડાની જેમ એકરૂપ થવું, આનું નામ ભાવ-નમસ્કાર છે. તમારામાં આ ભાવ નમસ્કારની કક્ષા વિકાસ પામી રહી છે. પણ હજી વધુ અંતરખોજ ઊંડાણમાં વિશુદ્ધ સમર્પણ, વફાદારીની ખામી તથા જરા પ્રમાદ અને વ્યવહારુ કામોની જવાબદારીની મહત્તાનો ભાર હઠાવવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી નવકારની સરંડરશીપ મેળવ્યા પછી આપણા અહમાંથી ઊઠતી વૃત્તિઓ કે વિચારોને અગ્રિમ સ્થાન ન અપાય. આગળ ઘોડો પછી ગાડી - આગળ શ્રી નવકાર, પછી આપણા વિચારોની ગાડી એમ ગોઠવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy