SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પુણ્યાત્માઓ! તમે માત્ર જાપમાં અક્ષરયોગની સાધનામાં મંડી પડો. તમારા ખળભળતા હૈયામાં દિવ્યશકિતનું ગુંજન તમોને જાતે અનુભવવા મળશે. તમારી આંતરિક સ્થિતિમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આદિના ધમસાણ – વલોપાત શમી જતા લાગશે અને બાહ્ય પરિસ્થિતિમાં પણ “ોડનીમવેર' માં થયેતે તસ્ય સર્વ મા વચ્ચદં = જે અનન્ય ભાવે મારે આશરે = શરણે આવે છે તેના બધા ભાર = કયે વખતે શું જોઈએ! વગેરે બોજ હું સંભાળી લઉ છું.” આવા દિવ્યકોલના આધારે તમારી આરાધક તરીકેની બાહ્ય-આંતર બધી જાતની જરૂરિયાતો શ્રી નવકાર તરફથી તેના અધિષ્ઠાયકો અસંખ્ય સમ્યગૃષ્ટિ દેવો છે. તેમાંના ગમે તે દેવને ત્યાં આપણી આરાધનાના જાપશકિતના પ્રભાવે બેલ = ઘંટડી વાગશે અને તે દેવ આપણી આરાધનાની સગવડો પૂરી પાડે અથવા અગવડો દૂર હઠાવે. કયારેક પૂર્વકાલીન વિષમ કર્મનો ઉદય હોય તો પણ “ર ૐ અંધેર નહી” એ સૂત્ર યાદ રાખવું. વળી “સાધકની નાવ ડોલે ગમે તેટલી પણ આરાધનાનો સઢ જાળવી રાખે તો ડૂબે નહીં આ વાકય પણ યાદ રાખવું. આપણું કામ માત્ર નિયત સ્થાન, સમય, સંખ્યાના ધોરણે શ્રી નવકારના વણ અક્ષરોને સ્ફટિક જેવા સામે ધારી બ્લ્યુ રંગમાં સફેદ અક્ષરવાળા શ્રી નવકારના ચાર્ટ સામે રોજ ૩ મિનિટ ૩ દિવસ ૫ મિનિટ ૫ દિવસ પ્રથમ વિભાગ ત્રણ વાર કરવો. ૭ મિનિટ ૭ દિવસ ૯ મિનિટ ૯ દિવસ ૧૧ મિનિટ ૧૧ દિવસ ૧૫ મિનિટ ૧૫ દિવસ ૨૧ મિનિટ ર૧ દિવસ દ્વિતીય વિભાગ ત્રણ વાર કરવો. ૨૭ મિનિટ ર૭ દિવસ આ રીતે શ્રી નવકારના અક્ષરોને જોઈ રહેવાના, માત્ર જોવાનો પ્રયત્ન અર્થ ચિંતન નહીં ફકત બીજા વિચારો આવે તો શ્રી નવકારના ગમે તે પદના ગમે તે વર્ણ - અક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આથી વિશિષ્ટ દિવ્યશકિતનો સ્રોત અંદરથી વહેવા માંડે છે. જરૂર નવા વર્ષમાં આનો અમલ બને તો શરૂ કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy