SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૧૫ પપ પાલનપુર ૨૨-૧૦-૮૩ ગઈ રાતનો અનુભવ કહું – જાપની સમાપ્તિએ લગભગ ૨ થી રાાના ગાળામાં ચારેબાજુ ચોપાસ અફાટ દરિયાના વિશાળ પાણી વચ્ચે હું ઉચા ખડક પરની મોટી શિલા પર બેઠેલ, મારી સામે ચારે બાજુથી મગરમચ્છ મોટા-મોટા ૭ થી ૮ ફૂટના અર્ધા પાણીમાં અર્ધા બહાર આવીને ઊભા મારી સામે નીચું મોં કરી મૃતપ્રાય: જેવા પડી રહ્યા થોડી વારે મારી ડાબે ૧ નાનું મગરબચું પાણીમાંથી કૂદાકૂદ કરતું મગરની પીઠ ઉપર બેસી બોલ્યું કે, મહારાજ ! મગર જેવા મહાકાય સાંસારિક સંઘર્ષો અંતરની સાધના બળે આમ મૃતપ્રાય: થઈ જાય છે. તે માટે નાતુ સિદ્ધિઃ નપાત સિદ્ધિઃ નપાત્ સિદ્ધિઃ વસ્તી છે એમ કહી તેણે મોં પહોળું કર્યું તો ૧ જટાજુટ વાળા યોગી હાથમાં સ્ફટિકની માળા લઈ મારી સામે અધ્ધર આકાશમાં પદ્માસન મારીને હું નમ: સિદ્ધ નો જાપ ઉપાંશુરૂપે કરવા લાગ્યા. દરિયો - મગર બધું અદશ્ય મને જાણે મૂક રીતે કહેતા હોય કે જાપમાં લીન થાઓ. થોડી વારે તેઓ આકાશમાર્ગે અધ્ધર અદશ્ય થઈ ગયા. આ દશ્ય એમ સૂચવે છે કે, જાપ એ આંતરિક શક્તિઓના વિકાસની મુખ્ય ચાવી છે. માટે વહેલામાં વહેલી તકે ઝંઝટોમાંથી મુક્ત થઈ પાલીતાણા – ગિરનાર - ભદ્રેશ્વર- રાણકપુર - કેશરીયાજીમાં જાપમાં ઊંડા ઊતરવાની જરૂર છે એવું મને જાણે કોઈ કહેતું હોય તેમ લાગે છે. તમો બધા પુણ્યવાન છો, નાની વયે શ્રી નવકારના શરણે આવી શક્યા છો, તમારું શ્રી નવકાર પ્રતિ આંતરિક વલણ - સાચી હૈયાની ભક્તિ, નિષ્ઠાભર્યું સમર્પણ, આ બધું દેવોને પણ દુર્લભ છે. માત્ર સંસારની ગડમથલમાં કયારેક તમો જાપમાં ઢીલા થાઓ છો પણ સદ્ભાગ્યે પાછો તાર જામી જાય છે. એ તમારા સદ્ભાગ્યની નિશાની છે. તમે જાપમાં વધુ ઊંડા ઊતરે તેના સહયોગી કારણ તરીકે સ્વદ્રવ્યથી રોજ પૂજા – સામાયિક – પ્રતિક્રમણ – અભણ્ય ત્યાગ – રાત્રિભોજન ત્યાગ – રાત્રે ૮ | ૯ પછી કયાંય ન જવું. આ બધી ચીજોનું યથાવતું અમલીકરણ કરો તો તમારા જીવનમાં અદ્ભુત દિવ્ય અંતરનો આનંદ અનુભવવા મળશે. તમારી આંતરિક વૃત્તિમાં શ્રી નવકારનો સ્પર્શ થયો છે. ખરો! પણ બાહ્ય વાતાવરણમાં ભૂંસાઈ જાય છે, જાપનું બળ વધારો તો તે ભૂંસાય નહીં. તે સ્પર્શ ન ભૂંસાય એટલે બહારનું વાતાવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy